મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સની ૧૩,૮૭૦ ના મુદામાલ સાથે ધરપકડ


SHARE















વાંકાનેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સની ૧૩,૮૭૦ ના મુદામાલ સાથે ધરપકડ

વાંકાનેરમાં એક્સિસ બેન્ક સામે જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી બે શખ્સો આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૮૮૭૦ ની રોકડ તથા મોબાઈલ મળીને ૧૩,૮૭૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરમાં આવેલ એક્સિસ બેન્ક સામે જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે લખનઉ સુપર જાયન્ટ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઉપર રન ફેરનો જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૮,૮૭૦ ની રોકડ તથા ૫,૦૦૦ રૂપિયાની કિંમતનો  એક મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૩,૮૭૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી ઈકબાલભાઈ અશરફભાઈ ચૌહાણ જાતે સિપાહી (૨૫) રહે. સિપાઈ શેરી વાંકાનેર અને જુબેરભાઈ અબ્દુલકરીમભાઈ બોરડીવાલા જાતે મોમીન (૩૩) રહે. મુમના શેરી વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે બંને સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં
 
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા રાધાબેન રતિલાલ કાનાણી (૫૦) નામના આધેડ મહિલાએ કોઈ કારણોસર બેટરીમાં નાખવાનું પાણી પી લેતા તેઓને અસર થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે





Latest News