મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે હડકાયા કૂતરાએ બચકુ ભરી લેતા નવ માસની બાળકી સારવારમાં


SHARE







હળવદના જુના દેવળીયા ગામે હડકાયા કૂતરાએ બચકુ ભરી લેતા નવ માસની બાળકી સારવારમાં

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ૯ માસની બાળકીને હડકાયા કૂતરુંએ બચકુ ભરી લીધુ હતુ જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે જેતપરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવ અંગેની પ્રથમ મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે રહેતા વિક્રમભાઈ નાયકની નવ માસની દીકરી દેવાંશી ને ગામ પાસે હડકાયા કૂતરાએ બચકું ભરી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તે બાળકીને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવો હળવદ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરાઈ છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ખાનપર ગામે આવેલ શાકમાર્કેટ નજીક અકસ્માત નો બનાવ બન્યો હતો જેમાં ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે રહેતા અશોક કાનજીભાઈ વરાણીયા નામનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થતાં તે યુવાનને જમણા અને ડાબા પગમાં ઈજા હોવાથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ એસ. વી. સોલંકી ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગાંધીધામ ખાતે પીએમ રોડલાઇન્સમાં રહેતા હીરારામ જોધારામ બિશ્નોઇ (૬૦) નામના વૃદ્ધને ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા વૃધ્ધને પ્રથમ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ વડે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News