મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે ઘઉંમાં નાખવાનો પાવડર પાણીમાં મિક્સ કરીને પી ગયેલ યુવાન રાજકોટ સારવારમાં


SHARE











ટંકારાના વીરપર ગામે ઘઉંમાં નાખવાનો પાવડર પાણીમાં મિક્સ કરીને પી ગયેલ યુવાન રાજકોટ સારવારમાં

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે રાતના સમયે ઘઉંમાં નાખવાનો પાવડર પાણીમાં મિક્સ કરીને પી લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવાનને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતો જયરાજ મનસુખભાઈ ચાવડા (૨૦) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના દસેક વાગ્યે ઘઉંમાં નાખવાનો પાવડર પાણીમાં મિક્સ કરીને ગયો હતો અને ત્યારે તેને તેનો મોટો ભાઈ જયદીપ જોઈ જતા તાત્કાલિક આ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે જયરાજ છેલ્લા બે દિવસથી ઘરમાં ગુમસુમ રહેતો હતો અને તે ઓનલાઈન આવતી વસ્તુઓની ડીલેવરીનું ડીલીવરી બોય તરીકે ટંકારા તાલુકામાં કામ કરતો હતો જોકે, તેણે આ પગલુ કયા કારણોસર ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ ટંકારા તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવશે

વૃદ્ધા સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા માણેકબેન અંબારામભાઈ કાચરોલા (૬૫) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે અંજલિ પાર્ક પાસે આલાપ રોડ ઉપર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેમાં માણેકબેનને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે

ફિનાઇલ પીધું
મોરબીમાં દરબારગઢ પાસે આવેલ નાની માધાણી શેરીમાં રહેતા મયુર ધીરુભાઈ દલસાણીયા (૩૭) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી

માર માર્યો
મોરબી તાલુકાના શનાળા ગામ પાસે રહેતા રવિકુમાર સૈની (૫૭) નામના વૃદ્ધને શક્તિ સિમેન્ટ પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News