ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળિયા મીંયાણા નજીક હરીપર ગામ પાસે ટ્રકે બાઇકને હેડફેટ લેતા બાળકીનું મોત : માતા-પુત્ર સારવારમાં


SHARE













માળિયા મીંયાણા નજીક હરીપર ગામ પાસે ટ્રકે બાઇકને હેડફેટ લેતા બાળકીનું મોત : માતા-પુત્ર સારવારમાં

મોરબી જીલ્લાના માળીયા મીંયાણા વિસ્તારમાં આવેલ હરીપર ગામના રેલ્વે બ્રિજ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ગઈકાલ તા.૮ ના સાંજના આઠેક વાગ્યાના અરસામાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલકે ચાર સવારીમાં જઈ રહેલ બાઈકને હડફેટે લેતા સાત વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે મૃતકની માતા અને ભાઈને ઇજાઓ પહોંચેલ હોવાથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા માળિયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા માળીયા પોલીસ દ્વારા આ બનાવની આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબી જીલ્લાના માળીયા મીંયાણા ખાતે આવેલ કાજરડાના ભોળ વિસ્તારમાં રહેતા નિઝામભાઈ મોવર તેમના પત્ની નસીમબેન નિઝામભાઈ મોવર (૩૦), પુત્ર મોહમ્મદ અઝરૂદ્દીન નિઝામભાઈ મોવર (૧૧) અને પુત્રી નજમાબાનુ નિઝામભાઈ મોવર (૭) બાઇકમાં માળીયા મીંયાણા ખાતેથી નિઝામભાઈ મોવરનું સાસરિયું સુરજબારી નજીક હોય ઈદ કરવા માટે તેઓ ત્યાં જતા હતા.ત્યારે ગઈકાલ તા.૮ ના સાંજના આઠેક વાગ્યાના અરસામાં તેઓના ચાર સવારીમાં જતા બાઈકને કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે માળીયાના હરીપર ગામ નજીક આવેલ રેલ્વેના બ્રીજ પાસે હડફેટે લીધું હતું.આ અકસ્માત બનાવમાં બાઇકમાં સવાર ચાર પૈકીના નજમાબાનું નિઝામભાઈ મોવર નામની સાત વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જેથી ડેડબોડીને પીએમ માટે મોરબી લાવવામાં આવ્યુ હતુ.જ્યારે મૃતકની માતા નસીમબેન નિઝામભાઈ મોવર અને ભાઈ મોહમ્મદ અઝરૂદ્દીનને ઇજાઓ થતા બંનેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયાંથી બનાવ અંગે જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ માળીયા પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ માટે માળિયા(મિં.) પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.જેથી માળીયા પોલીસ સ્ટેશનના ગીરીશભાઈ મારૂણીયા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં નિઝામભાઈના પત્ની નસીમબેન અને પુત્ર મોહમ્મદ અઝરુદ્દીનને ઇજાઓ પહોંચી હતી જ્યારે પુત્રી નજમાબાનું (ઉંમર ૭) નું મોત નીપજ્યું હતું.હાલ ફરિયાદ લેવા માટેની આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આધેડ સારવારમાં

મોરબીના હળવદ તાલુકામાં આવેલા ઈશ્વરનગર ગામે રહેતા ધનજીભાઈ લક્ષ્મણભાઈ પટેલ નામના ૬૭ વર્ષના આધેડને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેમના બાઇકની આડે અચાનક ભૂંડ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જે અંગે બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ પ્રાથમિક તપાસ કરી હળવદ પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે આઈટીઆઈ ની સામે આવેલ પ્રભાતનગર વિસ્તારમાં રહેતા આશિષભાઈ હીરજીભાઈ હડીયલને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.મોરબીના હળવદ રોડ ઉપરથી તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા આશિષભાઈ હડીયલને સારવાર માટે લાવવામાં આવેલા હોય બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.મકવાણા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News