મોરબીમાં વ્યાજે પૈસા લેનાર યુવાનના ભાઈને બે વ્યાજખોરોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીમાં બીમારીથી કંટાળીને એસિડ પી ગયેલા આધેડનું સારવારમાં મોત
SHARE
મોરબીમાં બીમારીથી કંટાળીને એસિડ પી ગયેલા આધેડનું સારવારમાં મોત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા આધેડે બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે ઘરે હતા ત્યારે એસિડ પી લીધુ હતું જેથી કરીને તેને સીરવારમાં લઇ ગયા હતા અને ત્યા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે જે બનાવ અંગેની મોરબીની ખાનગી હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નથુભાઈ રાજાભાઈ મુછડીયા (૫૫) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેણે એસિડ પી લીધું હતું જેથી કરીને નથુભાઈને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજયુ હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક આધેડને બીમારી હોય બીમારીથી કંટાળીને તેઓએ પોતાની જાતે એસિડ પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજુયછે
યુવાનનું મોત
વાંકાનેર નજીક આવેલ રાતી દેવડી ગામે સુરાપુરા દાદાના મંદિર પાસે યોગેશવન અશોકવન ગોસ્વામી (૪૦) રહે રાજકોટ વાળો કોઈ કારણોસર બેભાન થઈ જતા તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે