માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના રંગપર ગામે મહિલાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ, દિયર અને નણંદ સામે ગુનો નોંધાયો મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પર સહિત 83,000 થી વધુ ની કિંમતના મુદ્દામાલની ચોરી હળવદના રાણેકપર ગામે મંદિરમાં જાળી અને એંગલ લગાવવાનું કામ કરતા વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓને 2 મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓએ ધોકા, પાઇપ અને ધારીયા વડે માર માર્યો સરકારે ખાનગી કંપનીના વીજ પોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિનો અમને કોઈ પત્ર મળ્યો નથી, અમારું આંદોલન ચાલુ છે: મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં નેહુલ અમૃતિયાએ કરી પત્રકાર પરિષદ મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબીના સોની વેપારીએ મચ્છુ-૨ ડેમમાં બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું


SHARE









મોરબીના સોની વેપારીએ મચ્છુ-૨ ડેમમાં બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળીશેરીમાં રહેતા સોની વેપારીએ મોરબી નજીકના મચ્છુ-૨ ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ઘટના સ્થળેથી મૃતક યુવાનના ચપ્પલ, મોબાઇલ, પાકીટ અને સુસાઇટ નોટ મળી આવી હતી જેથી પોલીસ દ્વારા તેને કબજે લેવામાં આવેલ છે અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતા સોની વેપારી મનોજભાઈ ઉર્ફે લાલો જયંતીભાઈ રાણપરા જાતે સોની (૪૪)એ મોરબી નજીકના મચ્છુ-૨ ડેમમાં જમ્પલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ઘટના સ્થળેથી મૃતક યુવાનના ચપ્પલ, મોબાઇલ, પાકીટ તેમજ સુસાઇટ નોટ મળી આવી હતી જેને પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલ છે અને આ આપઘાતના બનાવ અંગેની પ્રિયાંકભાઈ હર્ષદભાઈ પારેખ જાતે સોની (૩૩) રહે. દરબારગઢ પાસે જૈન દેરાસરની સામે સંઘવી શેરી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણકારી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને છેલ્લા ૧૮ વર્ષથી માનસિક બીમારી હોય તેની દવા ચાલુ હતી અને આઠેક વર્ષ પહેલાં તે સોની કામ કરતા હતા તે સમયે સોનું ગાળવાની ગેસગનમાં ગેસ ચાલુ રહી જતા ગેસગનને સળગાવતાની સાથે જ ભડકો થયો હતો અને તેને ગળાના ભાગે આગની વરાળ લાગી જતા ગળામાં તેઓને તકલીફ થઈ ગઈ હતી અને તે વ્યવસ્થિત સમજી શકાય તેવું બોલીશ શકતા ન હતા જેથી કરીને બીમારીથી કંટાળી જઈને તેણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News