મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં લાજ કાઢવાનું કહેતા જેઠ અને તેના દીકરાને સગાભાઈ-બે પિતરાઇ ભાઈઓએ માર માર્યો: ત્રણેય આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં લાજ કાઢવાનું કહેતા જેઠ અને તેના દીકરાને સગાભાઈ-બે પિતરાઇ ભાઈઓએ માર માર્યો: ત્રણેય આરોપીની ધરપકડ

મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ પર આવેલ ભવાનીનગરમાં રહેતા જેઠની લાજ કાઢવાનું કહેવા બાબતે બે ભત્રીજા અને સગા ભાઈએ મોટાભાઈ તેમજ ભત્રીજા ઉપર હુમલો કર્યો હતો અને ઢીકાપાટુ તેમજ ધોકા વડે માર મારતા ઈજા પામેલ પિતા-પુત્રને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની ભોગ બનેલા યુવાને તેના સગા કાકા અને બે પિતરાઇ ભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવામાં માટે તજવીજ શરૂ કરી હતી અને આ કેસમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલ ભવાનીનગરમાં રહેતા સાગરભાઇ નાનજીભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૨૮)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પિતરાઈ ભાઈ મયુરભાઈ ધનજીભાઈ પરમાર (૩૦), શામજીભાઈ મૂળજીભાઈ પરમાર (૩૪) અને સગા કાકા ધનજીભાઈ ગોવિંદભાઈ પરમાર (૬૨) રહે. બધા ભવાનીનગર અમરેલી રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, ફરિયાદી તથા તેના પિતા નાનજીભાઈ પરમાર (૬૮) ઘરે હતા ત્યારે ત્રણેય આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી અને તેના પિતાને કહ્યું હતું કે “તમે કેમ અમારા બૈરાઓને લાજ કાઢવાનું કહો છો” અને બાદમાં ફરિયાદી અને તેને પિતાને ગાળો આપી હતી અને ત્યારબાદ બોલાચાલી કરીને શામજીભાઈ તથા ધનજીભાઈએ ફરિયાદી અને તેના પિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે મયુરભાઈ પરમારે લાકડાના ધોકા વડે ફરિયાદીને માથામાં માર માર્યો હતો અને તેના પિતાને પણ માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને તેના બે પિતરાઇ ભાઈ અને કાકાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News