મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન: મયુરનગરમાં જોબનપુત્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન: મયુરનગરમાં જોબનપુત્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન

મોરબી તાલુકાના બેલા (રં.) ગામે આગામી તા.૨૬ મે ના રોજ ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે માતાજી તથા સુરાપુરાદાદાના મંદિરે ધ્વજારોહણ તેમજ રાસ ગરબાનું પણ આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે.

હાલમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આગામી તા. ૨૬ મે ના રોજ બેલા (રં.) ગામે ચારોલા પરિવાર દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે સાંજે ૪ કલાકે બહુચરાજી માતાજી તથા સુરાપુરા પરબતદાદાના મંદિરે ધ્વજારોહણ કરાશે અને ત્યાર બાદ સાંજે ૬:૩૦ કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદ અને રાતે ૮:૩૦ કલાકે પટેલ સમાજવાડી ખાતે રાસ ગરબા રાખવામા આવેલ છે જેથી ચરોલા પરિવારના તમામ લોકોને હાજર રહેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.

શ્રીમદ ભાગવત સપ્તાહ
હળવદના મયુરનગરમાં ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અને જોબનપુત્રા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે તા ૯ થી ૧૫ મે સુધી મયુરનગર ગામે આ કથા યોજાશે જેમાં કથાકાર જીજ્ઞેશદાદા (રાધે રાધે) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને કથા દરરોજ સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ ચાલુ રહેશે અને ત્યાર બાદ દરરોજ મહાપ્રસાદ રાખવામા આવેલ છે આ કથાની સાથે તા ૧૦ મેના રોજ રાત્રે ૮:૦૦ કલાકે રાસગરબા, ૧૧ મેના રોજ રાત્રે ૮:૦૦ કલાકે સુંદરકાંડના પાઠ, તા ૧૩ મે ના રોજ રાત્રે ૮:૦૦ કલાકે શ્રીનાથજીની ઝાંખી, અને તા ૧૪ મેના રોજ રાત્રે ૮:૦૦ કલાકે રાજભા ગઢવી અને મનિષ આહીરનો લોક ડાયરો યોજાશે






Latest News