મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન: મયુરનગરમાં જોબનપુત્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન: મયુરનગરમાં જોબનપુત્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન

મોરબી તાલુકાના બેલા (રં.) ગામે આગામી તા.૨૬ મે ના રોજ ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે માતાજી તથા સુરાપુરાદાદાના મંદિરે ધ્વજારોહણ તેમજ રાસ ગરબાનું પણ આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે.

હાલમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આગામી તા. ૨૬ મે ના રોજ બેલા (રં.) ગામે ચારોલા પરિવાર દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે સાંજે ૪ કલાકે બહુચરાજી માતાજી તથા સુરાપુરા પરબતદાદાના મંદિરે ધ્વજારોહણ કરાશે અને ત્યાર બાદ સાંજે ૬:૩૦ કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદ અને રાતે ૮:૩૦ કલાકે પટેલ સમાજવાડી ખાતે રાસ ગરબા રાખવામા આવેલ છે જેથી ચરોલા પરિવારના તમામ લોકોને હાજર રહેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.

શ્રીમદ ભાગવત સપ્તાહ
હળવદના મયુરનગરમાં ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અને જોબનપુત્રા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે તા ૯ થી ૧૫ મે સુધી મયુરનગર ગામે આ કથા યોજાશે જેમાં કથાકાર જીજ્ઞેશદાદા (રાધે રાધે) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને કથા દરરોજ સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ ચાલુ રહેશે અને ત્યાર બાદ દરરોજ મહાપ્રસાદ રાખવામા આવેલ છે આ કથાની સાથે તા ૧૦ મેના રોજ રાત્રે ૮:૦૦ કલાકે રાસગરબા, ૧૧ મેના રોજ રાત્રે ૮:૦૦ કલાકે સુંદરકાંડના પાઠ, તા ૧૩ મે ના રોજ રાત્રે ૮:૦૦ કલાકે શ્રીનાથજીની ઝાંખી, અને તા ૧૪ મેના રોજ રાત્રે ૮:૦૦ કલાકે રાજભા ગઢવી અને મનિષ આહીરનો લોક ડાયરો યોજાશે








Latest News