મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન: મયુરનગરમાં જોબનપુત્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન: મયુરનગરમાં જોબનપુત્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન

મોરબી તાલુકાના બેલા (રં.) ગામે આગામી તા.૨૬ મે ના રોજ ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે માતાજી તથા સુરાપુરાદાદાના મંદિરે ધ્વજારોહણ તેમજ રાસ ગરબાનું પણ આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે.

હાલમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આગામી તા. ૨૬ મે ના રોજ બેલા (રં.) ગામે ચારોલા પરિવાર દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે સાંજે ૪ કલાકે બહુચરાજી માતાજી તથા સુરાપુરા પરબતદાદાના મંદિરે ધ્વજારોહણ કરાશે અને ત્યાર બાદ સાંજે ૬:૩૦ કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદ અને રાતે ૮:૩૦ કલાકે પટેલ સમાજવાડી ખાતે રાસ ગરબા રાખવામા આવેલ છે જેથી ચરોલા પરિવારના તમામ લોકોને હાજર રહેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.

શ્રીમદ ભાગવત સપ્તાહ
હળવદના મયુરનગરમાં ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અને જોબનપુત્રા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે તા ૯ થી ૧૫ મે સુધી મયુરનગર ગામે આ કથા યોજાશે જેમાં કથાકાર જીજ્ઞેશદાદા (રાધે રાધે) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને કથા દરરોજ સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ ચાલુ રહેશે અને ત્યાર બાદ દરરોજ મહાપ્રસાદ રાખવામા આવેલ છે આ કથાની સાથે તા ૧૦ મેના રોજ રાત્રે ૮:૦૦ કલાકે રાસગરબા, ૧૧ મેના રોજ રાત્રે ૮:૦૦ કલાકે સુંદરકાંડના પાઠ, તા ૧૩ મે ના રોજ રાત્રે ૮:૦૦ કલાકે શ્રીનાથજીની ઝાંખી, અને તા ૧૪ મેના રોજ રાત્રે ૮:૦૦ કલાકે રાજભા ગઢવી અને મનિષ આહીરનો લોક ડાયરો યોજાશે






Latest News