ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં લોકસભાની ચૂંટણીનું મતદાન બાદ આધેડે અણધાર્યું પગલું ભર્યું


SHARE













મોરબીમાં લોકસભાની ચૂંટણીનું મતદાન બાદ આધેડે અણધાર્યું પગલું ભર્યું
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં સોઓરડી પાસે આવેલ વરિયાનગરમાં રહેતા આધેડે ગઈ કાલે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન કર્યું હતું ત્યાર બાદ પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.


ગઈકાલે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું હતું ત્યારે ઉત્સાહભેર મતદારો દ્વારા પોતાનું મતદાન કરવામાં આવતું હતું દરમિયાન મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સોઓરડી નજીક આવેલ વરિયાનગરમાં રહેતા ભરતભાઈ ચંદુભાઈ સેલાણીયા (૫૨) નામના આધેડે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે જ્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે મૃતક ભરતભાઈ સેલાણીયાએ તેના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું અને ત્યારબાદ તેણે કોઈપણ કારણોસર પોતાના ઘરની અંદર બપોરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર ચલાવી રહ્યા હોય તેઓ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મૃતક ભરતભાઈને ચામડીની તથા પગની બીમારી હતી જે બીમારીની દવાથી તેઓ કંટાળી ગયા હોય તેઓએ અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત નિપજયુ હતુ.

વૃદ્ધા સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુંદાની વાડી વિસ્તારમાં રહેતા સંતોકબેન પ્રભુભાઈ નકુમ નામના ૭૨ વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને કામ સબબ બહાર જતા હતા.ત્યારે રસ્તામાં ઘર નજીક જ તેઓનું બાઈકનું સંતુલન ન રહેતા તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી ગયા હતા.જેથી ઇજા પામતા તેઓને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવી હોવાથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News