મોરબીના ચરાડવા ગામ પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, સાપ કરડી ગયા બાદ સારવારમાં રહેલ બાળકનું મોત મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર ગુમા થવાના ગુનામાં પકડાયેલા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મોરબીની માધાપરવાડી શાળાના 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ અર્પણ કરીને જન્મ દિન ઉજવાયો મોરબી જિલ્લાના વિકાસ કામો અને ચાંદીપુરા વાઈરસ સંદર્ભે સમીક્ષા કરતાં પ્રભારી સચિવ મનિષા ચંદ્રા મોરબી વન વિભાગની ચેર રેંજ દ્વારા મોટી બરારની શાળામાં વિશ્વ મેંગ્રુવ  દિન ઉજવાયો મોરબીના એસપી રોડે બહુમાળીમાં ઘરના સભ્યોને જમવાનું આપવા ગયેલ બાળક પાંચમા માળેથી નીચે પડતાં મોત વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં પત્ની સાથે વતનમાં જવા બાબતે મનદુખ થતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું મોરબીના મહેન્દ્રનગર પાસે બહુમાળીમાં કામ સમયે માથે ઈંટ પડતાં ઇજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા(મિં.) ના ખીરાઈ ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા વૃદ્ધનું મોત


SHARE







માળીયા(મિં.) ના ખીરાઈ ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા કાજરડા ગામના વતની અને માળીયાના ખીરઈ ગામે શાકભાજીની કેબીન ધરાવતા મુસ્લિમ વૃદ્ધને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને વૃદ્ધનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું.જેથી કરીને તેમના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ બનાવ અંગે માળિયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

આ ગોજારા બનાવની પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા યાકુબભાઈ હાસમભાઈ કાજડીયા નામના ૬૭ વર્ષના વૃદ્ધને માળીયા મીંયાણાના ખીરઇ ગામે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હોવાથી તેઓનું મોત થતા મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો.તા.૬-૫ ના બપોરના ત્રણેક વાગ્યે બનેલા આ બનાવની હોસ્પિટલ સુત્રોમાંથી જાણ થતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને તેઓ પાસેથી વધુમાં મળતી વિગતો પ્રમાણે મૃતક યાકુબભાઈ કાજડીયા નામના વૃદ્ધને ખીરઇ ગામે શાકભાજીની કેબીન હોય અને તેઓએ બાજુમાંથી લાઈટનું દોરડું લીધેલ હોય દરમિયાનમાં તેમાંથી કોઈ રીતે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેઓનું મોત નીપજ્યું હતું.હાલ પ્રાથમિક તપાસ કરીને આ બનાવ માળીયા પોલીસ મથક વિસ્તારનો હોય ત્યાં આગળની તપાસ અર્થે જાણ કરવામાં આવી હતી.

લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતમાં ત્રણને ઈજા

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.આ અકસ્માત બનાવમાં નેપાળભાઈ કાન્તુભાઈ ભાવર (૨૮) બધુડીબેન નેપાળભાઈ ભાવર (૨૬) અને આયુષ નેપાળભાઈ (૭) રહે.ત્રણેય પાડાપુલની નીચે મચ્છુ નદીના પટમાં મોરબી-૨ વાળાઓને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેથી ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના સુરેશભાઈ ઠોરીયાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.




Latest News