મોરબી: કલેકટર કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂક કરાશે મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ 20.95 લાખના ચેક રીટર્ન કેસમાં બમણી રકમનો દંડ: એક વર્ષની સજા મોરબીના મકનસર ગામે સરકારી જમીન ઉપર થયેલા 10 ગેરકાયદે બાંધકામો તોડી પડ્યા મોરબી ઇન્ડીયન લાયોનેસ ક્લબના નવા પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયા અમદાવાદના લુંટના ગુનામાં નાસતો ફરતો આરોપી માળીયા (મી)માંથી પાંચ ચોરાઉ બાઇક સાથે પકડાયો મોરબીના બેલા પાસે અકસ્માતમાં બે યુવકને ઈજા મોરબી જિલ્લામાં રેશનકાર્ડ ઘારકોને મે અને જૂન મહિનાનો અનાજનો જથ્થો ચાલુ મહિનામાં જ આપી દેવામાં આવશે વાંકાનેર ખાતે ૨૦ મે ના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

માળીયા(મિં.) ના ખીરાઈ ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા વૃદ્ધનું મોત


SHARE



















માળીયા(મિં.) ના ખીરાઈ ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા કાજરડા ગામના વતની અને માળીયાના ખીરઈ ગામે શાકભાજીની કેબીન ધરાવતા મુસ્લિમ વૃદ્ધને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને વૃદ્ધનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું.જેથી કરીને તેમના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ બનાવ અંગે માળિયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

આ ગોજારા બનાવની પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા યાકુબભાઈ હાસમભાઈ કાજડીયા નામના ૬૭ વર્ષના વૃદ્ધને માળીયા મીંયાણાના ખીરઇ ગામે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હોવાથી તેઓનું મોત થતા મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો.તા.૬-૫ ના બપોરના ત્રણેક વાગ્યે બનેલા આ બનાવની હોસ્પિટલ સુત્રોમાંથી જાણ થતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને તેઓ પાસેથી વધુમાં મળતી વિગતો પ્રમાણે મૃતક યાકુબભાઈ કાજડીયા નામના વૃદ્ધને ખીરઇ ગામે શાકભાજીની કેબીન હોય અને તેઓએ બાજુમાંથી લાઈટનું દોરડું લીધેલ હોય દરમિયાનમાં તેમાંથી કોઈ રીતે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેઓનું મોત નીપજ્યું હતું.હાલ પ્રાથમિક તપાસ કરીને આ બનાવ માળીયા પોલીસ મથક વિસ્તારનો હોય ત્યાં આગળની તપાસ અર્થે જાણ કરવામાં આવી હતી.

લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતમાં ત્રણને ઈજા

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.આ અકસ્માત બનાવમાં નેપાળભાઈ કાન્તુભાઈ ભાવર (૨૮) બધુડીબેન નેપાળભાઈ ભાવર (૨૬) અને આયુષ નેપાળભાઈ (૭) રહે.ત્રણેય પાડાપુલની નીચે મચ્છુ નદીના પટમાં મોરબી-૨ વાળાઓને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેથી ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના સુરેશભાઈ ઠોરીયાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.






Latest News