માળીયા(મિં.) ના ખીરાઈ ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા વૃદ્ધનું મોત
મોરબીના લખધીરપૂર રોડે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE










મોરબીના લખધીરપૂર રોડે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાના પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ એલસેરા સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતો અને મજૂરી કામ કરતો દેવેન્દ્રભાઈ પ્રીતમલાલ આહિરવાલ (૨૪) નામનો યુવાન કારખાના પાસેથી પસાર થતી નર્મદાની પાણીની કેનાલમાં કોઈપણ કારણસર ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એસ.ડી. ઠોરીયા ચલાવી રહ્યા છે
ફિનાઇલ પી ગયો
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઓમકાર રેસીડેન્સી ખાતે રહેતા હાર્દિક જયંતીભાઈ ચાંદપા (૨૨) નામના યુવાને પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી

