વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મીં)ના મેઘપર ગામે ટેક્ટર ઉપરથી પડી જતા વૃદ્ધનું મોત


SHARE

















માળીયા (મીં)ના મેઘપર ગામે ટેક્ટર ઉપરથી પડી જતા વૃદ્ધનું મોત

માળીયા મીંયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા વૃદ્ધ ટેક્ટર ઉપરથી પડી જતા તેમને ઇજાઓ થયેલ હતી ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા જસાભાઈ લક્ષ્મણભાઈ મકવાણા આહિર (૭૦) નામના વૃદ્ધ ટેક્ટર ઉપરથી નીચે પડી જતા તેમને શરીરે ઇજાઓ થયેલ હતી અને તેમનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ  બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ માળીયા મીંયાણા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે. જોકે પોલીસ પાસેથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતકના શરીર ઉપર ઇજાના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા અને અકસ્માતના લીધે તેઓને મોત થયું છે કે હાર્ટ એટેકના લીધે..? તે દિશામાં આગળની તપાસ માટે તેઓના પીએમની વિધિ હાથ ધરવામાં આવી હતી.
મારા મારીમાં ઇજા
મોરબીના પાનેલી ગામે રહેતા ગોપાલભાઈ દેવશીભાઈ રાઠોડ (૫૫) નામના આધેડને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે.
મહિલા સારવારમાં
મોરબીના માળિયા હાઇવે રોડ ઉપર આવેલ પાટીદાર ટાઉનશીપ ખાતે રહેતા હંસાબેન મધુભાઈ અઘેરા (૬૦) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને હંસાબેનને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.




Latest News