ડુપ્લિકેટ મતદારોને રોકવા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરો: મોરબીમાં રહેતા કે.ડી. બાવરવાની માંગ મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો માળીયા (મી)ના નાની બરાર ગામે શાળાના વિધાર્થીઓને પિગી બેંક આપી નવા સત્રની કરી શરૂઆત વાંકાનેરમાં અંધશ્રદ્ધા ફેલાવતી ભુઈ હનીફાબેન પઠાણની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ: લોકોની માફી માંગીને હવે ધતિંગ કર્યા બંધ મોરબી જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦ ની જન્મ જયંતીના અવસર પર પદયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લામાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી સંદર્ભે કલેક્ટરની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મીં)ના મેઘપર ગામે ટેક્ટર ઉપરથી પડી જતા વૃદ્ધનું મોત


SHARE



























માળીયા (મીં)ના મેઘપર ગામે ટેક્ટર ઉપરથી પડી જતા વૃદ્ધનું મોત

માળીયા મીંયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા વૃદ્ધ ટેક્ટર ઉપરથી પડી જતા તેમને ઇજાઓ થયેલ હતી ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા જસાભાઈ લક્ષ્મણભાઈ મકવાણા આહિર (૭૦) નામના વૃદ્ધ ટેક્ટર ઉપરથી નીચે પડી જતા તેમને શરીરે ઇજાઓ થયેલ હતી અને તેમનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ  બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ માળીયા મીંયાણા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે. જોકે પોલીસ પાસેથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતકના શરીર ઉપર ઇજાના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા અને અકસ્માતના લીધે તેઓને મોત થયું છે કે હાર્ટ એટેકના લીધે..? તે દિશામાં આગળની તપાસ માટે તેઓના પીએમની વિધિ હાથ ધરવામાં આવી હતી.
મારા મારીમાં ઇજા
મોરબીના પાનેલી ગામે રહેતા ગોપાલભાઈ દેવશીભાઈ રાઠોડ (૫૫) નામના આધેડને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે.
મહિલા સારવારમાં
મોરબીના માળિયા હાઇવે રોડ ઉપર આવેલ પાટીદાર ટાઉનશીપ ખાતે રહેતા હંસાબેન મધુભાઈ અઘેરા (૬૦) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને હંસાબેનને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.












Latest News