મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે રહેતા બે યુવાનોએ નાસ્તો કર્યા બાદ તબિયત બગડતા  સારવારમાં


SHARE







મોરબીના શનાળા ગામે રહેતા બે યુવાનોએ નાસ્તો કર્યા બાદ તબિયત બગડતા સારવારમાં

મોરબીના શનાળા ગામે રહેતા બે યુવાનોએ નાસ્તો કર્યા બાદ તેની તબિયત બગડતા તેને બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામે રહેતા અનિરુદ્ધસિંહ મહિપતસિંહ પરમાર (૩૮) અને ધર્મેન્દ્રસિંહ ધીરુભાઈ ઝાલા (૩૯) નામના યુવાનોએ લાલજીભાઈ બ્રેડવાળાને ત્યાં નાસ્તો કર્યા બાદ તે બંનેની તબિયત બગડી હતી.જેથી કરીને તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલે તે બંને યુવાનોને સારવાર આપવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં

રાજકોટના રણછોડનગર વિસ્તારમાં રહેતા સાહિનબેન ફિરોજભાઈ (૨૮) નામની મહિલાને તેના પતિ દ્વારા મૂઢમાર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનથી આગળ ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં રહેતા ચિરાગ ધીરજલાલ જાદવ (૩૦) નામના યુવાનને ભડીયાદ રોડ ઉપર આવેલ આલ્ફા સ્કૂલ પાસે બાઇક સ્લીપ થતા અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી.જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ યુવાનને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે.ડાંગર દ્વારા કરવામાં આવેલ છે.






Latest News