મોરબીના શનાળા ગામે રહેતા બે યુવાનોએ નાસ્તો કર્યા બાદ તબિયત બગડતા સારવારમાં
ટંકારા નજીક બોક્સ ક્રિકેટ માટેનું મેદાન બનાવવાના કામ દરમ્યાન ઉપરથી નીચે પડતાં હેમરેજ થવાથી યુવાનનું મોત
SHARE
ટંકારા નજીક બોક્સ ક્રિકેટ માટેનું મેદાન બનાવવાના કામ દરમ્યાન ઉપરથી નીચે પડતાં હેમરેજ થવાથી યુવાનનું મોત
ટંકારા પાસે આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક બોક્સ ક્રિકેટ માટેનું મેદાન બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે મોરબીનો યુવાન ઘોડા ઉપર ચડીને કામ કરી રહ્યો હતો તેવામાં તે ઉપરથી નીચે પડતાં તેને માથામાં હેમરેજ થયું હતું.જેથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા જો કે, તે યુવાનનું ટુંકી સારવાર બાદ મોત નીપજયું હતું જેથી આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ હોથીપીરની દરગાહ પાસે રહેતા જયદેવ મેઘજીભાઈ સાલાણી (ઉમર ૩૦) નામનો યુવાન ટંકારા પાસે આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક હતો ત્યારે ત્યાં કામગીરી દરમ્યાન ગત તા.૬-૫ ના રોજ યુવાન ૨૫ ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને ઈજા થયેલ હતી.જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન તા.૭-૫ ના રાત્રીના દોઢેક વાગ્યે મોત નીપજયું હતું.જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ટંકારા પાસે આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક બોક્સ ક્રિકેટ માટેનું મેદાન બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.ત્યારે મૃતક યુવાન ઘોડા(નિસરણી) ઉપરથી નીચે પડતાં તેને માથામાં હેમરેજ થયું હતું.જેથી તેનું મોત નીપજયું છે.આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે.
પિતાએ માર માર્યો
મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં સંજય દીપકભાઈ સાગઠીયા (૩૦) નામના યુવાનને તેના પિતા દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને હાથે પગે ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે
માર માર્યો
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા હનીફભાઈ ઇસ્માઈલભાઈ શાહમદાર (૩૫) નામના યુવાનને કોઈ અજાણ્યા માણસે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે.ડાંગર દ્વારા કરવામાં આવેલ છે.