ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ૭૧.૩૮ લાખની વીજ ચોરીના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ૭૧.૩૮ લાખની વીજ ચોરીના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

માળીયા (મી.) તાલુકાનો હરીપર ગામે આવેલ પ્લાસ્ટીકનાં ગઠ્ઠા બનાવવાની ફેક્ટરીમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારે ૭૧.૩૮ લાખની વીજ ચોરી કરેલ છે તેવી ફરિયાદ નોંધાવેલ હતી જે કેસ સ્પેશ્યલ ઈલેક્ટ્રીક સીટી કોર્ટ મોરબીમાં ચાલી ગયો હતો જેમાં કારખાનેદારના વકીલની દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે વીજ ચોરી કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકિક્ત એવી છે કે, માળીયા (મી.) તાલુકાનો હરીપર ગામે કાઠીયાવાડ સોલ્ટ વર્કસના નામથી પ્લાસ્ટીકનાં ગઠ્ઠા બનાવવાની ફેક્ટરી મહમદહુશેન સીદીકભાઈ પાયક રહે. મોરબી વાળા ફેક્ટરી ધરાવતા હતા. અને તેની ફેક્ટરીમાં પી.જી.વી.સી.એલ. નું કનેક્શન હતું જેથી તે કાયદેસરના ગ્રાહક હતા. તેમ છતાં ગઈ તા. ૩૧-૧૨-૨૦૨૦ નાં રોજ પી.જી.વી.સી.એલ. કચેરીનાં અધિકારીએ વીજ ચેકીંગ કર્યું હતું અને તેઓને ૭૧,૩૮,૯૮૪.૨૯ પૈસાની વીજ ચોરી કરેલ છે. તે મતલબની ફરીયાદને વર્ષ ૨૦૨૦ માં જીયુવીએનએલ પોલીસ સ્ટેશન રાજકોટમાં વીજળી અધિનિયમ ૨૦૦૩ ની કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરાવેલ હતો જે ગુન્હાની તપાસ કરી તેનું સ્પેશ્યલ ઈલેક્ટ્રીક સીટી કોર્ટ મોરબીમાં ચાર્જશીટ કરેલ હતું જે કેસ સ્પે. કોર્ટમાં ચાલી જતા તેની અંદર પ્રોસીકયુશન તરફે પાંચ સાહેદોનાં મૌખિક પુરાવા લીધેલ અને ૧૫ દસ્તાવેજો રજુ કરેલ હતા જે તમામ મૌખિક પુરાવા તથા દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ તેમજ આરોપી મહમદહુશેન સીદીકભાઈ પાયકનાં એડવોકેટ એચ.એન.મહેતાની ધારદાર દલીલોને ધ્યાને લઈને આ કેસમાં સ્પેશ્યલ જજ વી.એ. બુધ્ધ સાહેબે આરોપીને નિર્દોષ જાહેર કરેલ છે.






Latest News