મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન:  જાલસીકા  ગામે હોલ માતા મંદિરે દેવાયત ખાવડના લોક ડાયરાનું આયોજન


SHARE













મોરબીમાં બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન:  જાલસીકા  ગામે હોલ માતા મંદિરે દેવાયત ખાવડના લોક ડાયરાનું આયોજન

મોરબીમાં ભુવા હસુભાઈ પનારા તથા સમસ્ત પનારા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૯ મે ને ગુરુવારના રોજ રાત્રે ૯ વાગ્યે મોરબીના ભવાની ચોક લખધીરવાસ બક્ષી શેરીના નાકે બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂના કાર્યક્રમનું આયોજન કરાયું છે અને આ તકે ભુવા હસુભાઈ પનારા તથા ડાક કલાકાર ધર્મેશ રાવલ માતાજીના ગુણગાન ગાશે. જેથી કરીને ભક્તોને તેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

નવચંડી મહાયજ્ઞનું આયોજ

મોરબી તાલુકાના બંધુનગર ગામે તા ૧૪ મે ના રોજ દલસાણીયા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના નવમા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તેની સાથે નવચંડી મહાયજ્ઞ પણ રાખવામા આવેલ છે અને તે દિવસે સવારે ૭:૦૦ વાગ્યે નવચંડી મહાયજ્ઞ શરૂ કરવામાં આવશે જેના આચાર્ય પદે મહામહોપાધ્યાય જિજ્ઞેશભાઈ પંડ્યા બિરાજશે. અને બપોરે ૧ વાગ્યે બીડું હોમાશે અને ત્યાર બાદ મહાપ્રસાદ રાખવામા આવેલ છે અને તા ૧૩ ના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે રાસ ગરબાનું આયોજન કરાયું છે

હોલ માતા મંદિરે લોક ડાયરાનું આયોજન

વાંકાનેર તાલુકાનાં જાલસીકા ગામે આવેલ હોલ માતા મંદિરે ૧૭ મો વાર્ષિક વૈશાખી બીજ મહોત્સવને ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૯/૫/૨૦૨૪ના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર દેવાયતભાઈ ખવડ (લોકસાહિત્યકાર), કાનો હુંબલ (લોકસાહિત્યકાર) ભૂમિબેન આહીર (લોકગાયક કલાકાર), વિજયભાઈ આહીર (ભજનીક) અને વિજુબેન આહીર (લોકગાયક) સહિતના જમાવટ કરશે જેથી કરીને લોક ડાયરાનો લાભ લેવા માટે અને ધાર્મિક પ્રસંગનો લાભ લેવા માટે આયોજકોએ લોકોને આમંત્રણ આપેલ છે




Latest News