માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન:  જાલસીકા  ગામે હોલ માતા મંદિરે દેવાયત ખાવડના લોક ડાયરાનું આયોજન


SHARE

















મોરબીમાં બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન:  જાલસીકા  ગામે હોલ માતા મંદિરે દેવાયત ખાવડના લોક ડાયરાનું આયોજન

મોરબીમાં ભુવા હસુભાઈ પનારા તથા સમસ્ત પનારા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૯ મે ને ગુરુવારના રોજ રાત્રે ૯ વાગ્યે મોરબીના ભવાની ચોક લખધીરવાસ બક્ષી શેરીના નાકે બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂના કાર્યક્રમનું આયોજન કરાયું છે અને આ તકે ભુવા હસુભાઈ પનારા તથા ડાક કલાકાર ધર્મેશ રાવલ માતાજીના ગુણગાન ગાશે. જેથી કરીને ભક્તોને તેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

નવચંડી મહાયજ્ઞનું આયોજ

મોરબી તાલુકાના બંધુનગર ગામે તા ૧૪ મે ના રોજ દલસાણીયા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના નવમા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તેની સાથે નવચંડી મહાયજ્ઞ પણ રાખવામા આવેલ છે અને તે દિવસે સવારે ૭:૦૦ વાગ્યે નવચંડી મહાયજ્ઞ શરૂ કરવામાં આવશે જેના આચાર્ય પદે મહામહોપાધ્યાય જિજ્ઞેશભાઈ પંડ્યા બિરાજશે. અને બપોરે ૧ વાગ્યે બીડું હોમાશે અને ત્યાર બાદ મહાપ્રસાદ રાખવામા આવેલ છે અને તા ૧૩ ના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે રાસ ગરબાનું આયોજન કરાયું છે

હોલ માતા મંદિરે લોક ડાયરાનું આયોજન

વાંકાનેર તાલુકાનાં જાલસીકા ગામે આવેલ હોલ માતા મંદિરે ૧૭ મો વાર્ષિક વૈશાખી બીજ મહોત્સવને ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૯/૫/૨૦૨૪ના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર દેવાયતભાઈ ખવડ (લોકસાહિત્યકાર), કાનો હુંબલ (લોકસાહિત્યકાર) ભૂમિબેન આહીર (લોકગાયક કલાકાર), વિજયભાઈ આહીર (ભજનીક) અને વિજુબેન આહીર (લોકગાયક) સહિતના જમાવટ કરશે જેથી કરીને લોક ડાયરાનો લાભ લેવા માટે અને ધાર્મિક પ્રસંગનો લાભ લેવા માટે આયોજકોએ લોકોને આમંત્રણ આપેલ છે




Latest News