ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન:  જાલસીકા  ગામે હોલ માતા મંદિરે દેવાયત ખાવડના લોક ડાયરાનું આયોજન


SHARE













મોરબીમાં બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન:  જાલસીકા  ગામે હોલ માતા મંદિરે દેવાયત ખાવડના લોક ડાયરાનું આયોજન

મોરબીમાં ભુવા હસુભાઈ પનારા તથા સમસ્ત પનારા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૯ મે ને ગુરુવારના રોજ રાત્રે ૯ વાગ્યે મોરબીના ભવાની ચોક લખધીરવાસ બક્ષી શેરીના નાકે બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂના કાર્યક્રમનું આયોજન કરાયું છે અને આ તકે ભુવા હસુભાઈ પનારા તથા ડાક કલાકાર ધર્મેશ રાવલ માતાજીના ગુણગાન ગાશે. જેથી કરીને ભક્તોને તેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

નવચંડી મહાયજ્ઞનું આયોજ

મોરબી તાલુકાના બંધુનગર ગામે તા ૧૪ મે ના રોજ દલસાણીયા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના નવમા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તેની સાથે નવચંડી મહાયજ્ઞ પણ રાખવામા આવેલ છે અને તે દિવસે સવારે ૭:૦૦ વાગ્યે નવચંડી મહાયજ્ઞ શરૂ કરવામાં આવશે જેના આચાર્ય પદે મહામહોપાધ્યાય જિજ્ઞેશભાઈ પંડ્યા બિરાજશે. અને બપોરે ૧ વાગ્યે બીડું હોમાશે અને ત્યાર બાદ મહાપ્રસાદ રાખવામા આવેલ છે અને તા ૧૩ ના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે રાસ ગરબાનું આયોજન કરાયું છે

હોલ માતા મંદિરે લોક ડાયરાનું આયોજન

વાંકાનેર તાલુકાનાં જાલસીકા ગામે આવેલ હોલ માતા મંદિરે ૧૭ મો વાર્ષિક વૈશાખી બીજ મહોત્સવને ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૯/૫/૨૦૨૪ના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર દેવાયતભાઈ ખવડ (લોકસાહિત્યકાર), કાનો હુંબલ (લોકસાહિત્યકાર) ભૂમિબેન આહીર (લોકગાયક કલાકાર), વિજયભાઈ આહીર (ભજનીક) અને વિજુબેન આહીર (લોકગાયક) સહિતના જમાવટ કરશે જેથી કરીને લોક ડાયરાનો લાભ લેવા માટે અને ધાર્મિક પ્રસંગનો લાભ લેવા માટે આયોજકોએ લોકોને આમંત્રણ આપેલ છે






Latest News