મોરબી જિલ્લાની ટંકારા વાંકાનેર અને માળિયા પાલીકામાં પ્રમુખની ચૂંટણી : ટંકારામાં પંકજભાઈ કરોલીયા, વાંકાનેરમાં રમેશભાઈ વોરા અને માળિયામાં હરૂનભાઇ સંધવાણી પ્રમુખ બન્યા મોરબીના કેનાલ રોડનો બનાવ : પુત્ર પાછળ બાઈકમાં જતા ચક્કર આવતા પડી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત ખેડૂતોમાં ભારે આક્રોશ: મોરબીના પીલુડી ગામે વીજ પોલ ઊભા કરવા આવેલ ખાનગી કંપનીના માણસોને વિલા મોઢે પાછા કાઢ્યા વર્તમાન સમયમાં દીકરીઓને શું ધ્યાન રાખવું તેનું મોરબીમાં સચોટ માર્ગદર્શન આપતા વક્તા અંકિતાબેન મુલાણી  મોરબી શહેર-તાલુકામાંથી દારૂની 13 બોટલ સાથે બે શખ્સ પકડાયા મોરબીમાં આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા એક શખ્સ 3.28 લાખના મુદામાલ સાથે પકડાયો: 4 ની શોધખોળ ટંકારાના નેકનામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત મોરબીમાં સલૂનમાં વાળ કપાવા આવેલા શખ્સે વારા બાબતે પિતા-પુત્રને માર મારવાના બનાવમાં હવે બે શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન:  જાલસીકા  ગામે હોલ માતા મંદિરે દેવાયત ખાવડના લોક ડાયરાનું આયોજન


SHARE











મોરબીમાં બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન:  જાલસીકા  ગામે હોલ માતા મંદિરે દેવાયત ખાવડના લોક ડાયરાનું આયોજન

મોરબીમાં ભુવા હસુભાઈ પનારા તથા સમસ્ત પનારા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૯ મે ને ગુરુવારના રોજ રાત્રે ૯ વાગ્યે મોરબીના ભવાની ચોક લખધીરવાસ બક્ષી શેરીના નાકે બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂના કાર્યક્રમનું આયોજન કરાયું છે અને આ તકે ભુવા હસુભાઈ પનારા તથા ડાક કલાકાર ધર્મેશ રાવલ માતાજીના ગુણગાન ગાશે. જેથી કરીને ભક્તોને તેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

નવચંડી મહાયજ્ઞનું આયોજ

મોરબી તાલુકાના બંધુનગર ગામે તા ૧૪ મે ના રોજ દલસાણીયા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના નવમા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તેની સાથે નવચંડી મહાયજ્ઞ પણ રાખવામા આવેલ છે અને તે દિવસે સવારે ૭:૦૦ વાગ્યે નવચંડી મહાયજ્ઞ શરૂ કરવામાં આવશે જેના આચાર્ય પદે મહામહોપાધ્યાય જિજ્ઞેશભાઈ પંડ્યા બિરાજશે. અને બપોરે ૧ વાગ્યે બીડું હોમાશે અને ત્યાર બાદ મહાપ્રસાદ રાખવામા આવેલ છે અને તા ૧૩ ના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે રાસ ગરબાનું આયોજન કરાયું છે

હોલ માતા મંદિરે લોક ડાયરાનું આયોજન

વાંકાનેર તાલુકાનાં જાલસીકા ગામે આવેલ હોલ માતા મંદિરે ૧૭ મો વાર્ષિક વૈશાખી બીજ મહોત્સવને ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૯/૫/૨૦૨૪ના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર દેવાયતભાઈ ખવડ (લોકસાહિત્યકાર), કાનો હુંબલ (લોકસાહિત્યકાર) ભૂમિબેન આહીર (લોકગાયક કલાકાર), વિજયભાઈ આહીર (ભજનીક) અને વિજુબેન આહીર (લોકગાયક) સહિતના જમાવટ કરશે જેથી કરીને લોક ડાયરાનો લાભ લેવા માટે અને ધાર્મિક પ્રસંગનો લાભ લેવા માટે આયોજકોએ લોકોને આમંત્રણ આપેલ છે






Latest News