મોરબીના ચરાડવા ગામ પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, સાપ કરડી ગયા બાદ સારવારમાં રહેલ બાળકનું મોત મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર ગુમા થવાના ગુનામાં પકડાયેલા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મોરબીની માધાપરવાડી શાળાના 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ અર્પણ કરીને જન્મ દિન ઉજવાયો મોરબી જિલ્લાના વિકાસ કામો અને ચાંદીપુરા વાઈરસ સંદર્ભે સમીક્ષા કરતાં પ્રભારી સચિવ મનિષા ચંદ્રા મોરબી વન વિભાગની ચેર રેંજ દ્વારા મોટી બરારની શાળામાં વિશ્વ મેંગ્રુવ  દિન ઉજવાયો મોરબીના એસપી રોડે બહુમાળીમાં ઘરના સભ્યોને જમવાનું આપવા ગયેલ બાળક પાંચમા માળેથી નીચે પડતાં મોત વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં પત્ની સાથે વતનમાં જવા બાબતે મનદુખ થતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું મોરબીના મહેન્દ્રનગર પાસે બહુમાળીમાં કામ સમયે માથે ઈંટ પડતાં ઇજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના હિરાપર નજીક બેકાબૂ કાર પલ્ટી જતાં માતા-ફૈબાનું મોત: કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારાના હીરાપર નજીક બેકાબૂ કાર પલ્ટી જતાં માતા-ફૈબાનું મોત: કાર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીથી દ્વારકા દર્શન કરવા માટે ગયેલ પરિવાર ત્યાંથી પરત આવતો હતો ત્યારે ટંકારા તાલુકાના હીરાપર અને સરાયા ગામ વચ્ચે મામાદેવના મંદિર પહેલા અલ્ટો ગાડી પલટી મારી ગઈ હતી જેથી કરીને ગાડીમાં બેઠેલા કાર ચાલકના માતા અને ફેબાનું મોત નીપજ્યું હતું જો કે એક જ પરિવારના પાંચ વ્યક્તિઓને ઇજાઓ થયેલ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જે બનાવમાં હાલમાં કારના ચાલકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટી શેરી નં-૩ સાઈ પેલેસ બ્લોક નં-૪૦૩ માં રહેતા ખીમરાજભાઈ રાજેશભાઈ સોનરાજ જાતે બારોટ (૩૪)એ અલ્ટો ગાડી નં જીજે ૩૬ એફ ૦૭૨૦ ના ચાલક તેના ભાઈ શક્તિભાઈ રાજેશભાઈ સોનરાજની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે શક્તિભાઈ અલ્ટો ગાડી લઈને ટંકારા તાલુકાના હીરાપર ગામથી સરાયા ગામ વચ્ચે આવેલ મામાદેવના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં પલટી મારી ગઈ હતી અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદી શક્તિભાઈ તથા તેના પત્ની જલ્પાબેન, દીકરી આસ્થાબેન, તુલસીબેન અને હીનાબેનને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા હતા અને ફરિયાદીના માતા નિર્મળાબેન રાજેશભાઈ સોનરાજ (૬૫) તેમજ તેના ફૈબા ગીતાબેન ઉર્ફે ગવરીબેન રામકુમાર રેણુકા જાતે બારોટ (૭૦) વાળાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલ હાલતમાં તે બંનેના મોત નીપજ્યા હતા જેથી કરીને હાલમાં અકસ્માતના આ બનાવ સંદર્ભે ખીમરાજભાઈની ફરિયાદ લઈને પોલીસે શક્તિભાઈ સોનરાજ સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે શક્તિભાઈ તેના પરિવારજનો સાથે દ્વારકા દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવી રહ્યા હતા દરમિયાન તેઓની અલ્ટો ગાડી પલટી મારી ગઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર ચાલકના માતા અને ફેબાના મોત નીપજયાં છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા મકબુલહુસેન મામદભાઈ શેરસીયા જાતે મોમીન મુસ્લિમ (૪૫) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ ડબલ્યુ ૧૩૯૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, રાજપીપળીયા ગામ પાસે ઈરફાનભાઇ શેરસીયાના ખેતર પાસેથી રોડ ઉપરથી તેનો દીકરો શાઇરના બાઈક નંબર જીજે ૩ સીએચ ૧૫૮૭ લઈને જઈ રહ્યો હતો ત્યારે સીએનજી રીક્ષાના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીના દીકરાને માથામાં તથા જમણી આંખની બાજુમાં તથા જમણા પગમાં ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સીએનજી રીક્ષાના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News