મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું
Breaking news
Morbi Today

વાહ : મોરબી જિલ્લો ૯૨.૮૦ ટકા પરિણામ સાથે ધો.૧૨ સાયન્સમાં રાજ્યમાં પ્રથમ: સામાન્ય પ્રવાહમાં ૯૪.૯૧ ટકા સાથે બીજા ક્રમે


SHARE













વાહ : મોરબી જિલ્લો ૯૨.૮૦ ટકા પરિણામ સાથે ધો.૧૨ સાયન્સમાં રાજ્યમાં પ્રથમ: સામાન્ય પ્રવાહમાં ૯૪.૯૧ ટકા સાથે બીજા ક્રમે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગત માર્ચ–૨૦૨૪ માં લેવામાં આવેલ ધો. ૧૨ ના તમામ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ધો. ૧૨ સાયન્સમાં સમગ્ર રાજ્યનું ૮૨.૪૫ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જો કે, મોરબી જિલ્લો ૯૨.૮૦ ટકા પરિણામ સાથે ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલ છે અને સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજ્યનું ૯૧.૯૩ ટકા પરિણામ આવેલ છે જો કે, મોરબી જિલ્લાનું ૯૪.૯૧ ટકા પરિણામ સાથે બીજા ક્રમે આવેલ છે.

લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ બોર્ડના વિદ્યાર્થીઓના પરિણામને જાહેર કરવા માટે સરકાર તરફથી લીલીઝંડી આપવામાં આવી હતી જેથી કરીને આજે ધો. ૧૨ ના તમામ પરિણામો જાહેર કરવામાં આવેલ છે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૪ માં લેવામાં આવેલ પરીક્ષાઓમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ દ્વારા મેદાન મરવામાં આવ્યું છે વધુમાં મળી રહેલા માહિતી મુજબ માર્ચ ૨૦૨૪ માં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૧૧,૧૩૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી એ-વન ગ્રેડમાં ૧૦૩૪, એ-ટુ ગ્રેડમાં ૮૯૮૩, બી-વન ગ્રેડમાં ૧૮૫૧૪, બી-ટુ ગ્રેડ ૨૨૧૧૫, સી-વન ગ્રેડમાં ૨૧૯૬૪, સી-ટુ ગ્રેડમાં ૧૬૧૬૫ અને ડી-ગ્રેડમાં ૨૮૪૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. માર્ચ ૨૦૨૪ માં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૩,૭૮,૨૬૮ વિદ્યાર્થીમાંથી ૩,૪૭,૭૩૮ પાસ થયા છે. અને એ-વન ગ્રેડમાં ૫૫૨૨, એ-ટુ ગ્રેડમાં ૪૨૭૯૯, બી-વન ગ્રેડમાં ૮૨૫૪૪, બી-ટુ ગ્રેડ ૯૮૮૮૧ પાસ થયેલ છે જો કે, મોરબી જિલ્લાની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લામાં હળવદ કેન્દ્રનું સૌથી વધુ ૯૬.૯૧ ટકા પરિણામ આવ્યું છે. ત્યાર બાદ ટંકારા કેન્દ્રનું ૯૬.૦૭, મોરબી કેન્દ્રનું ૯૪.૬૮ ટકા પરિણામ અને વાંકાનેર કેન્દ્રનું ૯૨.૫૧ ટકા પરિણામ આવ્યું છે.








Latest News