મોરબી જીલ્લામાં આવકના દાખલા માટે વિદ્યાર્થીઓને થતાં ધક્કા નિવારવા કલેક્ટરને રજૂઆત ​​​​​​​મોરબી : પાસા કરવાની સતા જીલ્લા એસ.પી.ને આપવા તેમજ જીલ્લા વાઇઝ પોલીસ મોનોગ્રામ અલગ કરવા માંગ મોરબીમાં ભૂલા પડી ગયેલા વૃદ્ધાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીની માધાપરવાડી કન્યા શાળા ખાતે ગ્રામ્ય વસ્તીગણતરી માટેના ગણતરીદારોની તાલીમ અપાઈ ભૂતકાળનું પુનરાવર્તન !?: મોરબી મનપા સંચાલિત નંદીઘરમા 9 જેટલા ખૂંટીયાના મોતથી અરેરાટી જળ વ્યવસ્થાપન માટે મોરબીના લક્ષ્મીવાસ ગામનું દિલ્હી ખાતે રાષ્ટ્રપતિની હાજરીમાં કરાયું સન્માન મોરબી ITI ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક કોર્સ-૧૦૦ બેડની નવી હોસ્ટેલ શરૂ થશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબીના લાલપર પાસે મનપાની ડમ્પિંગ સાઈટ 24 કલાક સગળતા ઘન કચરાથી સ્થાનિકો-ઉદ્યોગકારો ત્રાહિમામ
Breaking news
Morbi Today

મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે નવું શૌચાલય બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે નવું શૌચાલય બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે શૌચાલય છે પરંતુ ત્યાં સફાઈના અભાવે દુર્ગંધ આવતી હોય છે અને આ શૌચાલય વર્ષો જૂનું છે જેથી કરીને તેને તોડી પાડીને ત્યાં નવું શૌચાલય બનાવવામાં આવે તેવી મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ હરી પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ગઢવીએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ જુના બસ સ્ટેન્ડ ખાતે શૌચાલય છે જો કે ત્યાં સફાઈના અભાવે દુર્ગંધ આવતી હોય છે અને તેના લીધે બસ સ્ટેશનમાં આવતા મુસાફરો અને મોરબીના લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેવી પરિસ્થિતી છે જેથી કરીને મોરબીના જુના બસ સ્ટેશન ખાતે નવેસરથી શૌચાલય બનાવવું ખુબ જ જરૂરી છે. અને જુના શૌચાલયની સ્થિતિ ખખડધજ છે તેની જગ્યાએ ડીમોલીશન કરી નવેસરથી બાંધકામ કરી આધુનીક સુવિધાયુકત તમામ સુવિધા સાથે શૌચાલય બનાવમાં આવે તેવી માંગ કરી છે અને જો નવું શૌચાલય બનાવવામાં આવશે તો જુના બસ સ્ટેન્ડ ખાતે ગંદકીની સમસ્યા પણ ઉકેલાઈ જાય તેવી શ્કાયતા છે જો કે, આ કામ કયારે કરવામાં આવશે તે તે આગામી સમય જ બતાવશે






Latest News