મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે નવું શૌચાલય બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે નવું શૌચાલય બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે શૌચાલય છે પરંતુ ત્યાં સફાઈના અભાવે દુર્ગંધ આવતી હોય છે અને આ શૌચાલય વર્ષો જૂનું છે જેથી કરીને તેને તોડી પાડીને ત્યાં નવું શૌચાલય બનાવવામાં આવે તેવી મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ હરી પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ગઢવીએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ જુના બસ સ્ટેન્ડ ખાતે શૌચાલય છે જો કે ત્યાં સફાઈના અભાવે દુર્ગંધ આવતી હોય છે અને તેના લીધે બસ સ્ટેશનમાં આવતા મુસાફરો અને મોરબીના લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેવી પરિસ્થિતી છે જેથી કરીને મોરબીના જુના બસ સ્ટેશન ખાતે નવેસરથી શૌચાલય બનાવવું ખુબ જ જરૂરી છે. અને જુના શૌચાલયની સ્થિતિ ખખડધજ છે તેની જગ્યાએ ડીમોલીશન કરી નવેસરથી બાંધકામ કરી આધુનીક સુવિધાયુકત તમામ સુવિધા સાથે શૌચાલય બનાવમાં આવે તેવી માંગ કરી છે અને જો નવું શૌચાલય બનાવવામાં આવશે તો જુના બસ સ્ટેન્ડ ખાતે ગંદકીની સમસ્યા પણ ઉકેલાઈ જાય તેવી શ્કાયતા છે જો કે, આ કામ કયારે કરવામાં આવશે તે તે આગામી સમય જ બતાવશે






Latest News