મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું
Breaking news
Morbi Today

મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે નવું શૌચાલય બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે નવું શૌચાલય બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે શૌચાલય છે પરંતુ ત્યાં સફાઈના અભાવે દુર્ગંધ આવતી હોય છે અને આ શૌચાલય વર્ષો જૂનું છે જેથી કરીને તેને તોડી પાડીને ત્યાં નવું શૌચાલય બનાવવામાં આવે તેવી મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ હરી પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ગઢવીએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ જુના બસ સ્ટેન્ડ ખાતે શૌચાલય છે જો કે ત્યાં સફાઈના અભાવે દુર્ગંધ આવતી હોય છે અને તેના લીધે બસ સ્ટેશનમાં આવતા મુસાફરો અને મોરબીના લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેવી પરિસ્થિતી છે જેથી કરીને મોરબીના જુના બસ સ્ટેશન ખાતે નવેસરથી શૌચાલય બનાવવું ખુબ જ જરૂરી છે. અને જુના શૌચાલયની સ્થિતિ ખખડધજ છે તેની જગ્યાએ ડીમોલીશન કરી નવેસરથી બાંધકામ કરી આધુનીક સુવિધાયુકત તમામ સુવિધા સાથે શૌચાલય બનાવમાં આવે તેવી માંગ કરી છે અને જો નવું શૌચાલય બનાવવામાં આવશે તો જુના બસ સ્ટેન્ડ ખાતે ગંદકીની સમસ્યા પણ ઉકેલાઈ જાય તેવી શ્કાયતા છે જો કે, આ કામ કયારે કરવામાં આવશે તે તે આગામી સમય જ બતાવશે








Latest News