મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમયાત્રામાં રાજ્યમંત્રી સહિતના જોડાયા વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકોને નિઃશુલ્ક RTE ફોર્મ ભરી આપવામાં આવશે મોરબી જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાપાલિકાની બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મિં.)ના બગસરા ગામે પીવાના પાણીના ધાંધીયાથી ગ્રામજનો ત્રાહિમામ


SHARE











માળીયા (મિં.)ના બગસરા ગામે પીવાના પાણીના ધાંધીયાથી ગ્રામજનો ત્રાહિમામ

માળીયા(મિં.) તાલુકાના બગસરા ગામે પીવાનું પાણી પુરતુ આવતુ નથી જેથી કરીને ગ્રામજનો તેમજ ખાસ કરીને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રની બેદરકારીના લીધે ગામના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને આ ગામ મોરબી જીલ્લાના માળીયા તાલુકાનું છેવાડાનું ગામ છે ત્યાં અંદાજે ૨૦૦૦ લોકોની વસ્તી છે અને ૭૦૦  જેટલા માલઢોર છે તો પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે આ મુદે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તેમજ સંલગ્ન તંત્રને ગ્રામ પંચાયત દ્વારા લેખીત રજુઆતો તથા ફોન દ્વારા છેલ્લા ચારેક વર્ષથી અનેક રજુઆતો કરવામાં આવેલ છે તો પણ આજ સુધી ગામમાં પાણી યોગ્ય રીતે મળી રહે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી પાયાના પ્રશ્ન ઉકેલાય તેમાં નેતા કે પછી અધિકારીને કોઈ રસ નથી તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે






Latest News