મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

માળીયા (મિં.)ના બગસરા ગામે પીવાના પાણીના ધાંધીયાથી ગ્રામજનો ત્રાહિમામ


SHARE







માળીયા (મિં.)ના બગસરા ગામે પીવાના પાણીના ધાંધીયાથી ગ્રામજનો ત્રાહિમામ

માળીયા(મિં.) તાલુકાના બગસરા ગામે પીવાનું પાણી પુરતુ આવતુ નથી જેથી કરીને ગ્રામજનો તેમજ ખાસ કરીને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રની બેદરકારીના લીધે ગામના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને આ ગામ મોરબી જીલ્લાના માળીયા તાલુકાનું છેવાડાનું ગામ છે ત્યાં અંદાજે ૨૦૦૦ લોકોની વસ્તી છે અને ૭૦૦  જેટલા માલઢોર છે તો પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે આ મુદે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તેમજ સંલગ્ન તંત્રને ગ્રામ પંચાયત દ્વારા લેખીત રજુઆતો તથા ફોન દ્વારા છેલ્લા ચારેક વર્ષથી અનેક રજુઆતો કરવામાં આવેલ છે તો પણ આજ સુધી ગામમાં પાણી યોગ્ય રીતે મળી રહે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી પાયાના પ્રશ્ન ઉકેલાય તેમાં નેતા કે પછી અધિકારીને કોઈ રસ નથી તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે






Latest News