મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

માળીયા (મિં.)ના બગસરા ગામે પીવાના પાણીના ધાંધીયાથી ગ્રામજનો ત્રાહિમામ


SHARE





માળીયા (મિં.)ના બગસરા ગામે પીવાના પાણીના ધાંધીયાથી ગ્રામજનો ત્રાહિમામ

માળીયા(મિં.) તાલુકાના બગસરા ગામે પીવાનું પાણી પુરતુ આવતુ નથી જેથી કરીને ગ્રામજનો તેમજ ખાસ કરીને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રની બેદરકારીના લીધે ગામના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને આ ગામ મોરબી જીલ્લાના માળીયા તાલુકાનું છેવાડાનું ગામ છે ત્યાં અંદાજે ૨૦૦૦ લોકોની વસ્તી છે અને ૭૦૦  જેટલા માલઢોર છે તો પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે આ મુદે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તેમજ સંલગ્ન તંત્રને ગ્રામ પંચાયત દ્વારા લેખીત રજુઆતો તથા ફોન દ્વારા છેલ્લા ચારેક વર્ષથી અનેક રજુઆતો કરવામાં આવેલ છે તો પણ આજ સુધી ગામમાં પાણી યોગ્ય રીતે મળી રહે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી પાયાના પ્રશ્ન ઉકેલાય તેમાં નેતા કે પછી અધિકારીને કોઈ રસ નથી તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે




Latest News