ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમના દરવાજાના રિપેરિંગ કામ માટે નદીમાં પાણી છોડાશે: ૩૪ ગામને એલર્ટ કરાયા


SHARE













મોરબીના મચ્છુ-૨ ડેમના દરવાજાના રિપેરિંગ કામ માટે નદીમાં પાણી છોડાશે: ૩૪ ગામને એલર્ટ કરાયા

મોરબી અને માળીયા તાલુકાનાં લોકો માટે આશીર્વાદ સમાન મચ્છુ-૨ ડેમને રીપેરીંગ અર્થે ખાલી કરવાનો છે જેથી કરીને હાલમાં નીચવાસના ગામમા આવતા તમામ કોઝવે પરથી અવરજવર ન કરવા માટે જાહેર ચેતવણી આપવામાં આવેલ છે અને મોરબી અને માળીયા તાલુકાનાં ૩૪ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમ આવેલ છે તેના દરવાજાનું રીપેરીંગ કરવાનું છે જેથી કરીને આગામી તા ૧૨/૫ થી ૧૫/૫ સુધી  મચ્છુ-૨ ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવામાં આવશે જેથી મચ્છુ-૨ ડેમ અને મચ્છુ-૩ ડેમની હેઠવાસમા આવતા મોરબી અને માળીયા(મી.) તાલુકાના નિચે મુજબના ગામોના લોકોને નદિના પટવિસ્તારમા ન જવા માટે ચેતવણી આપવામાં આવે છે અને મોરબી શહેરમા મયુર બ્રીજ પાસેના બેઠા પુલ પાસે નદીના પટમાંથી ઝૂપડામાં રહેતા લોકોને ખસેડવા માટે સૂચના આપવામાં આવેલ છે અને નીચવાસના ગામમા આવતા તમામ કોઝવે પરથી અવરજવર ન કરવા માટે પણ ચેતવણી આપવામા આવે છે. હાલમાં મોરબી તાલુકના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી, રવાપર નદિ અને  વજેપર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્‍દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિંયા (મી), રાસંગપર અને ફાટસર ગામને એલર્ટ કરવામાં આવેલ છે






Latest News