મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ
Breaking news
Morbi Today

મોરબીમાં આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય જન્મ મહોત્સવની ધામધૂમપૂર્વ ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય જન્મ મહોત્સવની ધામધૂમપૂર્વ ઉજવણી કરાઇ

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ તથા આદ્યજગત ગુરૂ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા સમિતિ રાષ્ટ્રીય મોરબી જિલ્લા દ્વારા આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય જન્મ મહોત્સવની ધામધૂમપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મુખ્ય યજમાન મંદિરના લઘુ મહંત નિલેશગીરી દ્વારા સવારે ૯ થી ૧૧ રાજોપ્રચાર પૂજન તથા અભિષેક ત્યારબાદ સમૂહ મહા આરતી ત્યારબાદ ધર્મસભા યોજાઇ હતી.

જેમાં આધ્યા જગતગુરુ શ્રી શંકરાચાર્ય દશનામ ગૌસ્વામી સમાજ સેવા સમિતિ રાષ્ટ્રીયના પ્રદેશ સહ સચિવ અને મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરી ધર્મસભામાં આશિર્વચન પાઠવતા જણાવેલ કે, ધર્મ રક્ષિત રક્ષિતમ આપણે ધર્મનું રક્ષણ કરીશું તો ધર્મ આપણું રક્ષણ કરશે.ખાસ જણાવેલ કે આવનાર દિવસોમાં ગોસ્વામી સમાજ એક મુહિમ ચલાવે જેમાં જળ એ જ જીવન છે.તો આપણે બધા સૌ પાણી બચાવીએ અને વૃક્ષો વાવીએ.ત્યારબાદ બધાએ સમૂહમાં પ્રસાદ લીધેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ગોસ્વામી સમાજના પૂર્વ પ્રમુખ દેવગીરી બાપુ તથા ગોસ્વામી સમાજના પ્રમુખ હંસગીરીબાપુ તેમજ કારોબારી સદસ્ય કમલેશગીરી મહિપતપુરી તેમજ તાલુકા કક્ષાના મહેશગીરી તેમજ મોટી સંખ્યામાં ગોસ્વામી સમાજ અને સેવક સમુદાય હાજર રહ્યો હતો.






Latest News