અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત મોરબીમાં પોલીસ સ્ટેશન સામેથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય જન્મ મહોત્સવની ધામધૂમપૂર્વ ઉજવણી કરાઇ


SHARE





મોરબીમાં આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય જન્મ મહોત્સવની ધામધૂમપૂર્વ ઉજવણી કરાઇ

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ તથા આદ્યજગત ગુરૂ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા સમિતિ રાષ્ટ્રીય મોરબી જિલ્લા દ્વારા આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય જન્મ મહોત્સવની ધામધૂમપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મુખ્ય યજમાન મંદિરના લઘુ મહંત નિલેશગીરી દ્વારા સવારે ૯ થી ૧૧ રાજોપ્રચાર પૂજન તથા અભિષેક ત્યારબાદ સમૂહ મહા આરતી ત્યારબાદ ધર્મસભા યોજાઇ હતી.

જેમાં આધ્યા જગતગુરુ શ્રી શંકરાચાર્ય દશનામ ગૌસ્વામી સમાજ સેવા સમિતિ રાષ્ટ્રીયના પ્રદેશ સહ સચિવ અને મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરી ધર્મસભામાં આશિર્વચન પાઠવતા જણાવેલ કે, ધર્મ રક્ષિત રક્ષિતમ આપણે ધર્મનું રક્ષણ કરીશું તો ધર્મ આપણું રક્ષણ કરશે.ખાસ જણાવેલ કે આવનાર દિવસોમાં ગોસ્વામી સમાજ એક મુહિમ ચલાવે જેમાં જળ એ જ જીવન છે.તો આપણે બધા સૌ પાણી બચાવીએ અને વૃક્ષો વાવીએ.ત્યારબાદ બધાએ સમૂહમાં પ્રસાદ લીધેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ગોસ્વામી સમાજના પૂર્વ પ્રમુખ દેવગીરી બાપુ તથા ગોસ્વામી સમાજના પ્રમુખ હંસગીરીબાપુ તેમજ કારોબારી સદસ્ય કમલેશગીરી મહિપતપુરી તેમજ તાલુકા કક્ષાના મહેશગીરી તેમજ મોટી સંખ્યામાં ગોસ્વામી સમાજ અને સેવક સમુદાય હાજર રહ્યો હતો.




Latest News