માળીયા (મી)ના જસાપર ગામે ઘરે પાણી છાંટતા સમયે ઉપરથી નીચે પડતાં આધેડ મહિલાનું મોત
SHARE






માળીયા (મી)ના જસાપર ગામે ઘરે પાણી છાંટતા સમયે ઉપરથી નીચે પડતાં આધેડ મહિલાનું મોત
માળીયા મીયાણા તાલુકાના જસાપર ગામે ઘરનું બાંધકામ ચાલી રહ્યું હોય ત્યાં પાણી છાંટતા સમયે અકસ્માતે પગ લપસતા ઉપરથી નીચે પટકાતા આધેડ મહિલાને માથામાં અને શરીરને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા (મી) તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકાના જસાપર ગામે રહેતા દિવાળીબેન ચંદુભાઈ બોરીચા જાતે આહિર (૫૫) નામના આધેડ મહિલા પાણી છાંટતા સમયે ઉપરથી નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને ગંભીર ઇજા થવાના કારણે તેને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની સરકારી હોસ્પિટલ મારફતે માળીયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની તપાસ એસ.કે. બાલાસરા દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક દિવાળીબેનના ઘરે બાંધકામ ચાલતું હતું અને મકાનની છત ઉપર ચડીને તેઓ પાણી છાંટતા હતા દરમિયાન અકસ્માતે પગ લપસતા તેઓ નીચે પટકાયા હતા જેથી કરીને તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેમનું મોત નીપજયું હતું


