ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે રસ્તાના વિવાદમાં પાડોશીઓ વચ્ચે બોલાચાલી-ધમકી: સામસામી ફરિયાદ


SHARE













ટંકારાના હરબટીયાળી ગામે રસ્તાના વિવાદમાં પાડોશીઓ વચ્ચે બોલાચાલી-ધમકી: સામસામી ફરિયાદ

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે ઝાંપા પાસે રહેતા પાડોશીઓ વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી રસ્તા બાબતે વિવાદ ચાલી રહ્યો છે અને રેવન્યુ વાળા રસ્તો માપવા માટે આવ્યા હતા ત્યારે બંને પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે સામસામે એકબીજાને ધમકીઓ દેવામાં આવી હતી જેથી કરીને બંને પક્ષેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા અને હાલમાં અમદાવાદમાં આવેલ એપ્પલ વુડ ટાઉનશીપની પી ૩/૭૪ ખાતે રહેતા હરજીવનભાઈ પોપટભાઈ સંઘાણી જાતે પટેલ (૬૫)એ હાલમાં પોપટભાઈ ગોકળભાઈ ઢેઢી રહે. હરબટીયાળી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી તેઓના ઘરની બાજુમાં રહે છે અને આરોપી સાથે રસ્તા બાબતે જૂનો વિવાદ ચાલી રહ્યો છે જેથી કરીને ગઈકાલે રેવન્યુ વિભાગ વાળા માપણી કરવા માટે થઈને આવ્યા હતા તે આરોપીને ન ગમતા તેણે ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને ગામ મૂકીને જતા રહેવાનું કહી જાનથી મારી રાખવાની ધમકી આપી હતી તો સામાપક્ષેથી પોપટભાઈ ગોકળભાઈ ઢેઢી જાતે પટેલ (૪૮)એ હરજીભાઈ પોપટભાઈ સંઘાણી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી તેના ઘરની બાજુમાં રહે છે અને રસ્તાનો વિવાદ ચાલે છે અને પાંચેક વર્ષ પહેલા ફરિયાદીનું મકાન ચણી દેવા માટે તેની દીવાલ તોડવા આપેલ હતી જે દીવાલ આજ દિવસ સુધી ચણી આપેલ ન હતી જે બાબતે કહેતા આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી કરી દિવાલ ક્યારેય ચણી નહીં દઉ તેમ કહી તારાથી થાય તે કરી લેજે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે અને બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે






Latest News