મોરબીના ચરાડવા ગામ પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, સાપ કરડી ગયા બાદ સારવારમાં રહેલ બાળકનું મોત મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર ગુમા થવાના ગુનામાં પકડાયેલા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મોરબીની માધાપરવાડી શાળાના 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ અર્પણ કરીને જન્મ દિન ઉજવાયો મોરબી જિલ્લાના વિકાસ કામો અને ચાંદીપુરા વાઈરસ સંદર્ભે સમીક્ષા કરતાં પ્રભારી સચિવ મનિષા ચંદ્રા મોરબી વન વિભાગની ચેર રેંજ દ્વારા મોટી બરારની શાળામાં વિશ્વ મેંગ્રુવ  દિન ઉજવાયો મોરબીના એસપી રોડે બહુમાળીમાં ઘરના સભ્યોને જમવાનું આપવા ગયેલ બાળક પાંચમા માળેથી નીચે પડતાં મોત વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં પત્ની સાથે વતનમાં જવા બાબતે મનદુખ થતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું મોરબીના મહેન્દ્રનગર પાસે બહુમાળીમાં કામ સમયે માથે ઈંટ પડતાં ઇજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના કાછિયાગાળા પાસે પીવાના પાણીની લાઇનમાંથી સિંચાઇ માટે પાણી લેનાર ખેડુત સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરના કાછિયાગાળા પાસે પીવાના પાણીની લાઇનમાંથી સિંચાઇ માટે પાણી લેનાર ખેડુત સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના કાછિયાગાળા અને ગાંગીયાવદર રોડ ઉપર આવેલ ખેતરમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાર કરીને સિંચાઈ માટે પાણી લેવામાં આવ્યું હતું જે બાબતની પાઇપલાઇનની મરામત અને નિભાવની કામગીરી રાખનાર કોન્ટ્રાક્ટરને જાણ થતા તેણે હાલમાં ખેડૂતની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

હાલમાં પાણીની માંગ વધુ રહેતી હોય છે ત્યારે લોકોને પીવાનું પાણી સમયસર મળે તેના માટેની કવાયત તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે જોકે કેટલીક જગ્યાએ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ કરીને કે પછી ગેરકાયદેસર કનેક્શન લઈને પીવાના પાણીનો સિંચાઈ કે ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હોય તેવું સામે આવતું હોય છે તેવામાં રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની બાજુમાં આવેલ પટેલ પાર્ક 1 માં રહેતા રવિરાજસિંહ દોલતસિંહ બારડ 25 એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ પરસોત્તમભાઈ અણિયારીયા રહે કાછીયાગાળા તાલુકો વાંકાનેર વાળા ની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે કાછીયાગાળા થી ગાગીયાવદર રોડ ઉપર આવેલ આરોપીની માલિકીના ખેતર સર્વે નંબર ૧૭૭ પૈકી ૭ પૈકી ૧ માં વાંકાનેર જૂથ યોજના હસ્તકની પાઇપલાઇનની અંદર ભંગાર કરીને સિંચાઈ માટે પાણીની ચોરી કરી હતી જેથી કરીને હાલમાં રવિરાજસિંહ બારડે નોંધાવેલ ફરિયાદારે પોલીસે અશોકભાઈ સામે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા સંરક્ષણ અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૧૦.૧.૧ તથા ૧૧.૬ તેમજ ધ પ્રિવેન્સ ઓફ ડેમેજ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ૩ અને આઈપીસીની કલમ ૪૩૦ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News