મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર રોડે ઘરમાંથી રોકડ-દાગીના મળીને ૯૨,૨૦૦ ના મુદામાલની ચોરી


SHARE







હળવદના રાણેકપર રોડે ઘરમાંથી રોકડ-દાગીના મળીને ૯૨,૨૦૦ ના મુદામાલની ચોરી

હળવદ શહેરમાં રાણેકપર રોડ ઉપર આવેલ રામવીલ બંગ્લોઝ ના મકાન નંબર ૨૫ માં રહેતા વૃદ્ધના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરની અંદર પ્રવેશ કરીને તિજોરીના લોક તોડીને રોકડા ૬૦,૦૦૦ તથા સોના ચાંદીના દાગીના મળીને કુલ ૯૨,૨૦૦ ની કિંમત ના મુદ્દા માલની ચોરી કરવામાં આવેલ છે જે બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવવાની જાણવા મળતી વિગત મુજબ હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ રામવીલા બંગ્લોઝ મકાન નંબર ૨૫ માં રહેતા નરેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા જાતે દરબાર (૬૦) એ હાલમાં અજાણ્યા શખ્સ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના રહેણાંક મકાનનો દરવાજો તથા ઇન્ટરલોક તોડીને અજાણ્યા શખ્સ તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં આવેલ તિજોરીના ખાનાના લોક તોડીને રોકડા ૬૦,૦૦૦ તથા ૩૨,૨૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના આમ કુલ મળીને ૩૨,૨૦૦ ની કિંમતના મુદ્દા માલની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News