વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં ગેરકાયદે ભરતી !: કોંગ્રેસનો ગંભીર આક્ષેપ


SHARE







મોરબી પાલિકામાં ગેરકાયદે ભરતી !: કોંગ્રેસનો ગંભીર આક્ષેપ

મોરબી નગરપાલિકામાં નીતિ નિયમો નેવે મૂકીને ગેરકાયદેસર રીતે અને ધારાસભ્યની ભલામણથી કર્મચારીની ભરતી કરવામાં આવે છે તે ભરતી રદ કરીને કાયદેસરની કડક કાર્યવાહી કરવા કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી છે

મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ નગરપાલિકાની સામે ગંભીર આક્ષેપ કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીની એ ગ્રેડની કહેવાતી નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. અને પાલિકાએ તાજેતરમાં આશરે ૮ થી વધુ લોકોની ભરતી કરી છે. જેમાં તમામ નિયમ નેવે મૂકીને કોઈની ભલામણથી આ કર્મચારીની ભરતી કરવામાં આવી છે. તેવી નગરપાલિકા સ્ટાફમાંથી માહિતી મળી છે. આમ પાલિકાના વહીવટદાર મારફત કોઈ પણ જાહેરાત કે સરકારની મંજુરી વગર ભરતી કરવામાં આવી રહી છે !. ના કોઈ કરાર કે ના કોઈ લાયકાત, ફકત ને ફકત મોરબીના ધારાસભ્યના કહેવાથી આવી ગેરકાયદેસર ભરતી કરી પ્રજાના ટેકસના પૈસાનો ગેરઉપયોગ કરી નગરપાલિકા ઉપર આર્થિક ભારણ નાખવામાં આવી રહ્યું છે તે કેટલી હદે વ્યાજબી છે ? તેવા સવાલો સાથે કોંગ્રેસના નેતાઓએ ગાંધીનગર શહેરી વિકાસ સચિવને લેખિત રજૂઆત કરી છે અને પાલિકામાં ગેરકાયદેસરની ભરતીને બંધ કરીને આવી ભરતી રદ્દ કરીને આ ગેરકાયદે ભરતી કરનાર અઘિકારી અને ભલામણ કરનારની પાસેથી કાર્યવાહી કરીને ચૂકવાયેલ પગારની રકમ વ્યાજ સહિત વસૂલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે






Latest News