મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી યુવાને દુકાનમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત


SHARE







મોરબીમાં વેપારી યુવાને દુકાનમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત

મોરબીમાં આવેલ રૂગનાથજી મંદિર સામે બજાર લાઈનમાં કંસારા યુવાને દુકાનની અંદર લોખંડની એંગલમાં પ્લાસ્ટિકની પટ્ટી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યારે તેને ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં આવેલ રૂગ્નનાથજીના મંદિર સામે કે.કે. બજાર લાઈન નગર દરવાજાની અંદરના ભાગમાં રહેતા ચંદ્રેશભાઇ અશ્વિનભાઈ કાગડા જાતે કંસારા (૩૪) નામના યુવાને પોતાના ઘરની બાજુમાં આવેલ તેની કે.કે. વાસણની દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર લોખંડની એંગલમાં કાર્ટૂન બાંધવાની પટ્ટી બાંધીને તેની સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનને તાત્કાલિક મોરબી ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મૃતકના ભાઈ પ્રશાંતભાઈ અશ્વિનભાઈ કાગડા જાતે કંસારા (૪૩)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે






Latest News