મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

સરકારી કચેરીઓમાં બિનજરૂરી લાઈટ-પંખા-એસી બંધ રાખી અરજદારો માટે પંખાની વ્યવસ્થા કરો : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા


SHARE













સરકારી કચેરીઓમાં બિનજરૂરી લાઈટ-પંખા-એસી બંધ રાખી અરજદારો માટે પંખાની વ્યવસ્થા કરો : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરેલ છે કે, સરકારી કચેરીઓમાં અનેક વખત જોવા મળે છે કે કર્મચારી કે અધિકારી કચેરીમાં હાજર ન હોય છતાં પણ લાઈટ-પંખા અને એસી ચાલુ હોય છે અને વીજળીનો વ્યય થતો હોય છે.ત્યારે હાલના ગરમીના સમયમાં આ બિનજરૂરી બગાડ અટકાવવામાં આવે અને તેના બદલે સરકારી કચેરીઓમાં કામકાજે આવતા અરજદારો માટે પંખા, છાંયડો તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.

મોરબી જીલ્લા રેકર્ડ શાખામાં અંદાજીત ૧૫ થી ૨૦ પંખાઓ અને લાઈટો આવેલ છે.જે ઓફીસ ચાલુ થયાના સમયથી બંધ થયા સુધી સતત ચાલુ રાખવામાં આવે છે.તેમજ આ રેકર્ડ શાખાની બહાર અરજદારો માટે એક પણ પંખાની વ્યવસ્થા કરવામાં આવેલ નથી..! આવી અસહ્ય ગરમીના કારણે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.દરેક સરકારી કચેરીઓના લાઈટ બીલની રકમ પ્રજાના ટેકસમાંથી ચુકવવામાં આવે છે નહી કે જેતે કર્મચારીઓના પગારમાંથી માટે કચેરીએ કામકાજ માટે આવતા લોકો સાથે સારો વ્યવહાર થાય તેમજ ગરમીના સમયમાં તેમના માટે પંખા છાંયડો અને ઠંડા પાણીની વ્યવસ્થા થાય તે જરૂરી છે.

વધુમાં તેઓએે જણાવ્યું હતુ કે લોકમુખે એવું પણ જાણવા મળેલ છે કે, આ જમીન શાખાના રેકર્ડ જેવા કે ટીપ્પણ, માપણીસીટ અરજદારોને અરજી કર્યાના ૧૦ થી ૧૫ દિવસ બાદ આપવામાં આવે છે.પરંતુ કચેરીના અમુક કર્મચારીઓ પોતાના અંગત અરજદારો અને સર્વેયરોને અરજી કર્યાના સમયથી એકથી બે દિવસમાં આધાર પુરાવા પુરા પાડવામાં આવે છે..! જેથી અન્ય અરજદાર અને સર્વેયર સાથે કયા કારણોસર ભેદભાવ રાખવામાં આવે છે..? જેની તટસ્થ તપાસ કરવા તેમજ અરજદારો તથા સર્વેયરોની અરજીમાં ફરજીયાત અરજીની તારીખ નખાવવા વિનંતી છે.

ઉપરોકત રજુઆતને ધ્યાને લઈ રેકર્ડ શાખાની બહાર બે પંખા નાંખી આપવા તથા બીનજરૂરી લાઈટો અને પંખા બંધ રાખવા તેમજ અરજદારો તથા સર્વેયરોનો નિયમ મુજબ રેકર્ડ આપવા આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરશો તેવી લેખીત રજુઆત મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ કરેલ છે.






Latest News