માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી નજીકના ડેમી-૩ ડેમના રિપેરિંગ કામ માટે કાલે ત્રણ દરવાજા ખોલવામાં આવશે


SHARE











મોરબી નજીકના ડેમી-૩ ડેમના રિપેરિંગ કામ માટે કાલે ત્રણ દરવાજા ખોલવામાં આવશે

મોરબી નજીકના કોયલી ગામ પાસે આવેલ ડેમી-૩ ડેમમાં રીપેરીંગ કામ કરવાનુ છે જેથી કરીને તા ૧૦/૬ ના રોજ સવારે ૯ વાગ્યેથી આ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવશે અને ડેમનું પાણી નદીમાં છોડવામાં આવશે જેથી કરીને ૨૪ કલાક સુધી ડેમી નદીના પટ્ટમાં લોકોને અવર જવર નહિ કરવા જાણ કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં ૧૦ ડેમ આવેલ છે તે પૈકીનાં મોરબીના કોયલી ગામ પાસે આવેલ ડેમી-૩ ડેમમા રીપેરીંગ કામ કરવાનું છે જેથી કરીને સોમવારે તા.૧૦/૬ ના રોજ સવારે ૯ વાગ્યે ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવશે અને ડેમી નદીના પટ્ટમાં પાણી છોડવામાં આવશે જેથી કરીને ડેમીની નીચેના ભાગમાં આવેલા કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, જીંજુડા, સામપર અને જોડિયા તાલુકાના માવનુ ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર ન કરવા માટે થઈને સિંચાઇ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે






Latest News