મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા
ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત
SHARE
ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત
લોકસભા નાં ચોમાસુ સત્ર દરમ્યાન કચ્છ નાં સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ ભારત સરકાર નાં ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ સાથે મુલાકાત કરી હતી અને સંસદીય મતક્ષેત્રનાં કંડલા વિમાની સેવા વિસ્તરણ યાત્રિક સુવિધાઓ વધારવા નવી વિમાની સેવા શરૂ કરવા અને કંડલા એરપોર્ટ રનવે વિસ્તૃતીકરણ માટેની રજૂઆતો કરી હતી.
નેશનલ હેન્ડલૂમ ડે નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને સ્વદેશી કાપડ અપનાવવા વોકલ ફોર લોકલની ભાવના મજબુત કરવા આહવાન કર્યું હતું. તે અંતર્ગત તા. ૭ મી ઓગસ્ટે કચ્છનાં સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને કચ્છી સાલ વડે સન્માનિત કરી - સાંસદએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સમક્ષ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં કંડલા એરપોર્ટ રનવે વિસ્તૃતીકરણ, કંડલા – મુંબઈ વિમાની સેવા, કંડલા એરપોર્ટ ઉડાન સ્કીમ હેઠળ વિમાની સેવા અને કંડલાથી બેંગ્લોર અને હૈદરાબાદ (સાઉથ ઇન્ડિયા) વિમાની સેવા અંગે રજૂઆતો ઉડ્ડયન મંત્રી નાયડુજીને રૂબરૂ મળી કરેલ છે. તેમણે સકારાત્મક પ્રતીભાવ આપતાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત રજૂઆતને લક્ષમાં લેવાશે.