ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત


SHARE







ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત

લોકસભા નાં ચોમાસુ સત્ર દરમ્યાન કચ્છ નાં સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ ભારત સરકાર નાં ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ સાથે મુલાકાત કરી હતી અને સંસદીય મતક્ષેત્રનાં કંડલા વિમાની સેવા વિસ્તરણ યાત્રિક સુવિધાઓ વધારવા નવી વિમાની સેવા શરૂ કરવા અને કંડલા એરપોર્ટ રનવે વિસ્તૃતીકરણ માટેની રજૂઆતો કરી હતી.

નેશનલ હેન્ડલૂમ ડે નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને સ્વદેશી કાપડ અપનાવવા વોકલ ફોર લોકલની ભાવના મજબુત કરવા આહવાન કર્યું હતું. તે અંતર્ગત તા. ૭ મી ઓગસ્ટે કચ્છનાં સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને કચ્છી સાલ વડે સન્માનિત કરી - સાંસદએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સમક્ષ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં કંડલા એરપોર્ટ રનવે વિસ્તૃતીકરણ, કંડલા મુંબઈ વિમાની સેવા, કંડલા એરપોર્ટ ઉડાન સ્કીમ હેઠળ વિમાની સેવા અને  કંડલાથી બેંગ્લોર અને હૈદરાબાદ (સાઉથ ઇન્ડિયા) વિમાની સેવા અંગે રજૂઆતો ઉડ્ડયન મંત્રી નાયડુજીને રૂબરૂ મળી કરેલ છે. તેમણે સકારાત્મક પ્રતીભાવ આપતાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત રજૂઆતને લક્ષમાં લેવાશે.






Latest News