મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

ધારાસભ્યોની રજૂઆત ફળી: મોરબી જીલ્લાના ખેડૂતોને નર્મદાની કેનાલ મારફતે સિંચાઇ માટે મળશે પાણી


SHARE









ધારાસભ્યોની રજૂઆત ફળી: મોરબી જીલ્લાના ખેડૂતોને નર્મદાની કેનાલ મારફતે સિંચાઇ માટે મળશે પાણી

આગામી ચોમાસુ સક્રિય થાય તેને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના ત્રણ ધારાસભ્યો દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે નર્મદાની કેનાલ મારફતે પાણી મળી રહે તેના માટે કેનાલમાં પાણી છોડવાની સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ચોમાસુ પાક લેવા માટે ખેડૂતો દ્વારા આગોતરું વાવેતર કરવામાં આવે છે તેવી જ રીતે આગામી ચોમાસુ પાક લેવા માટેની ખેડૂતો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી આપવા બાબતે રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે તેના માટે સરકારે તા. ૧૦ જૂનથી ૧૦ હજાર ક્યુસેક પાણી નર્મદાની કેનાલમાં છોડવાનો નિર્ણય કરવામાં આવેલ છે.






Latest News