મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં બોલાચાલી થતાં પતિએ કરી પત્નીની હત્યા: પોલીસ ઘટના સ્થળે


SHARE







 

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં બોલાચાલી થતાં પતિએ કરી પત્નીની હત્યા: પોલીસ ઘટના સ્થળે

મોરબી જીલ્લાના હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં મહિલાની તેના જ ઘરમાં તેના પતિએ છરીના ઘા મારીને હત્યા કરેલ છે.જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસમાં જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં મદીનાબેન યુનુસભાઈ સંધી (ઉ.૩૫) ની હત્યા તેમના જ પતિ યુનુસભાઈ દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે.જેથી કરીને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.જેથી કરીને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં મળી રહેલ માહિતી મુજબ મૃતક મહિલાને તેના પતિ સાથે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ તે મહિલાની તેના જ પતિએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખેલ છે.જેથી કરીને પોલીસે હાલમાં ફરિયાદ લેવા માટે અને ફરાર આરોપી પતિને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.

વાહન અકસ્માત
મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર રહેતા લાલસીંગ ઈશુદરસિંગ (૪૫) નામનો યુવાન મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર આવેલ ઝુલતા પુલ નજીક એસબીઆઇ બેન્ક પાસેથી પસાર થતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર અંગેની મોરબી એ ડિવિઝન કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા કરસનભાઈ ભગવાનજીભાઈ (૫૧) નામના આધેડ મોરબીના આલાપ રોડ ઉપર આવેલ નાલા પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે અકસ્માતે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેઓને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News