ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં બોલાચાલી થતાં પતિએ કરી પત્નીની હત્યા: પોલીસ ઘટના સ્થળે


SHARE













 

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં બોલાચાલી થતાં પતિએ કરી પત્નીની હત્યા: પોલીસ ઘટના સ્થળે

મોરબી જીલ્લાના હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં મહિલાની તેના જ ઘરમાં તેના પતિએ છરીના ઘા મારીને હત્યા કરેલ છે.જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસમાં જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં મદીનાબેન યુનુસભાઈ સંધી (ઉ.૩૫) ની હત્યા તેમના જ પતિ યુનુસભાઈ દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે.જેથી કરીને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.જેથી કરીને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં મળી રહેલ માહિતી મુજબ મૃતક મહિલાને તેના પતિ સાથે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ તે મહિલાની તેના જ પતિએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખેલ છે.જેથી કરીને પોલીસે હાલમાં ફરિયાદ લેવા માટે અને ફરાર આરોપી પતિને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.

વાહન અકસ્માત
મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર રહેતા લાલસીંગ ઈશુદરસિંગ (૪૫) નામનો યુવાન મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર આવેલ ઝુલતા પુલ નજીક એસબીઆઇ બેન્ક પાસેથી પસાર થતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર અંગેની મોરબી એ ડિવિઝન કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા કરસનભાઈ ભગવાનજીભાઈ (૫૧) નામના આધેડ મોરબીના આલાપ રોડ ઉપર આવેલ નાલા પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે અકસ્માતે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેઓને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News