મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારીએ ભાજપના સાંસદને કર્યા વિકાસલક્ષી અણીદાર સવાલ !


SHARE













મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારીભાજપના સાંસદને કર્યા વિકાસલક્ષી અણીદાર સવાલ !

મોરબીમાં વર્ષો જૂના પ્રશ્નો આજની તારીખે પણ ઊભા છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં વિજય પછી પહેલી વખત મોરબી આવેલા સંસદને આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના પ્રભારી દ્વારા કેટલાક અણીદાર સવાલો કરવામાં આવેલ છે જેની જવાબ કામ કરીને આગામી દિવસોમાં નહીં આપવામાં આવે તો તેની પાસેથી જાગૃત નાગરિક તરીકે હિસાબ લેવામાં આવશે તેવી ટકોર કરી છે

મોરબી માળીયા વિધાનસભાના આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર તેમજ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા દ્વારા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને અણીદાર સવાલ પુછવામાં આવેલ છે જેના તેને કહ્યું છે કે, કચ્છ મોરબી બેઠક ઉપર વિનોદભાઈ ચાવડાનો વિજય થતા મોરબી જીલ્લામા તેમના સત્કાર સંભારંભનું આયોજન થવા જઈ રહ્યું હતું ત્યારે મોરબીની જનતાએ છેલ્લા ૧૦ વર્ષ શાસન આપ્યું અને વધુ પાંચ વર્ષ આપેલ છે ત્યારે મોરબીને શું આપવામા આવ્યું ? લાતી પ્લોટ વિસ્તારના ગટરના પાણીના નિકાલનું અને રોડ રસ્તાનું સમાધાન ક્યારે ?, મોરબીના લોકોને સારા રસ્તા ક્યારે ?, મોરબીના બાળકો માટે ફરવા લાયક સ્થળ કે બાગબગીચા ક્યારે ?, વરસાદના પાણીના યોગ્ય નિકાલ ક્યારે ?, શાક માર્કેટ પાછળના વેપારીના પ્રશ્નોનું સમાધાન ક્યારે ?, માળીયા તાલુકાને કેનાલના પાણી ક્યારે મળશે ?, મોરબીના ક્યા પ્રશ્નો તમે સાંસદ ભવન મા ઉપડ્યા ? આવા અણીદાર સવાલ મીડિયાના માધ્યમથી સાંસદને કરવામાં આવેલ છે અને આગામી સમયમાં હવે જાગૃત નાગરિક તરીખે કામોના હિસાબ સાંસદ પાસેથી પણ લેવામા આવશે તેવું પંકજભાઈ રાણસરીયાએ અંતમાં જણાવ્યુ છે






Latest News