મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

માળીયા-હળવદના ખેડૂતોને કંપની પાસેથી યોગ્ય વળતર મળે તે માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE















માળીયા-હળવદના ખેડૂતોને કંપની પાસેથી યોગ્ય વળતર મળે તે માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત

માળીયા-હળવદ તાલુકામાં ખેડૂતોના ખેતરોમાંથી ૭૬૫ KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન નીકળે છે જો કે, ખેડૂતોને કંપની દ્વારા યોગ્ય વળતર આપવામાં આવેલ નથી જેથી કરીને આ બાબતે અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ જવાબ મળતો નથી જેથી ખેડૂતોએ મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને લેખિત રજૂઆત કરી હતી જેના આધારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેના માટે રજૂઆત કરી છે

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમારીયાએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, માળીયા-હળવદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોએ ભારત સરકારના જાહેર સાહસ પાવરગ્રીડની ગૌણ કંપની પાવરગ્રીડ ખાવડા-૧૧-બી ટ્રાન્સમીશન લી. દ્રારા ૭૬૫ KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન કે જે ખેડૂતોના ખેતરોમાંથી નિકળે છે તો પણ ખેડૂતોને સરકારના ધારા-ધોરણ મુજબ યોગ્ય વળતર મળેલ નથી જે અંગેની ખેડૂતો દ્વારા કલેક્ટર અને તથા લગત તમામ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ ખેડૂતોને હજુ સુધી કોઈ યોગ્ય જવાબ મળેલ નથી. જેથી કરીને ૭૬૫ KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન જે ખેડૂતોના ખેતરોમાંથી નિકળે છે તેઓને માપ-સાઇઝ પ્લાન સહી વાળા દસ્તાવેજો મેળવવા તથા યોગ્ય વળતર મેળવવા તેઓને લેખીતમાં રજૂઆત કરેલ છે જેથી યોગ્ય સૂચના અપાઈને કાર્યવાહી કરવામાં આવે તેઓ રજૂઆત કરેલ છે






Latest News