વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી વાંકાનેરના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને જેલ હવાલે કર્યા: ટંકારાના ગાંજાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વૃદ્ધ પાસેથી 18 હજારની રોકડની ચોરી કરવાના ગુનામાં રિક્ષા ચાલક સહિત બેની ધરપકડ: મહિલા સહિત બે આરોપીની શોધખોળ હળવદના ચરાડવા ગામે દીકરાની ગળાટૂંપો આપીને હત્યા કરનારા બાપની ધરપકડ મોરબીમાં જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન સહકારી સંસ્થાઓમાં લોન મેળો તથા સભ્યપદ ડ્રાઈવ યોજાઈ મોરબી 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓ પકડાશે: DYSP મોરબી જલારામ ધામ ખાતે રવિવારે ડો.પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાશે ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

માળીયા-હળવદના ખેડૂતોને કંપની પાસેથી યોગ્ય વળતર મળે તે માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE

















માળીયા-હળવદના ખેડૂતોને કંપની પાસેથી યોગ્ય વળતર મળે તે માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત

માળીયા-હળવદ તાલુકામાં ખેડૂતોના ખેતરોમાંથી ૭૬૫ KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન નીકળે છે જો કે, ખેડૂતોને કંપની દ્વારા યોગ્ય વળતર આપવામાં આવેલ નથી જેથી કરીને આ બાબતે અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ જવાબ મળતો નથી જેથી ખેડૂતોએ મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને લેખિત રજૂઆત કરી હતી જેના આધારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેના માટે રજૂઆત કરી છે

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમારીયાએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, માળીયા-હળવદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોએ ભારત સરકારના જાહેર સાહસ પાવરગ્રીડની ગૌણ કંપની પાવરગ્રીડ ખાવડા-૧૧-બી ટ્રાન્સમીશન લી. દ્રારા ૭૬૫ KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન કે જે ખેડૂતોના ખેતરોમાંથી નિકળે છે તો પણ ખેડૂતોને સરકારના ધારા-ધોરણ મુજબ યોગ્ય વળતર મળેલ નથી જે અંગેની ખેડૂતો દ્વારા કલેક્ટર અને તથા લગત તમામ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ ખેડૂતોને હજુ સુધી કોઈ યોગ્ય જવાબ મળેલ નથી. જેથી કરીને ૭૬૫ KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન જે ખેડૂતોના ખેતરોમાંથી નિકળે છે તેઓને માપ-સાઇઝ પ્લાન સહી વાળા દસ્તાવેજો મેળવવા તથા યોગ્ય વળતર મેળવવા તેઓને લેખીતમાં રજૂઆત કરેલ છે જેથી યોગ્ય સૂચના અપાઈને કાર્યવાહી કરવામાં આવે તેઓ રજૂઆત કરેલ છે




Latest News