વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી વાંકાનેરના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને જેલ હવાલે કર્યા: ટંકારાના ગાંજાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વૃદ્ધ પાસેથી 18 હજારની રોકડની ચોરી કરવાના ગુનામાં રિક્ષા ચાલક સહિત બેની ધરપકડ: મહિલા સહિત બે આરોપીની શોધખોળ હળવદના ચરાડવા ગામે દીકરાની ગળાટૂંપો આપીને હત્યા કરનારા બાપની ધરપકડ મોરબીમાં જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન સહકારી સંસ્થાઓમાં લોન મેળો તથા સભ્યપદ ડ્રાઈવ યોજાઈ મોરબી 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓ પકડાશે: DYSP મોરબી જલારામ ધામ ખાતે રવિવારે ડો.પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાશે ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે રવિવારે નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ


SHARE

















મોરબીના રામધન આશ્રમે રવિવારે નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ

મોરબીમાં સામાકાંઠે ગોપાલ સોસાયટીમાં રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર દ્વારા રામધન આશ્રમમાં તા. ૧૬, જુનને રવિવારના રોજ નિ:શુલ્ક  ફિઝિયોથેરાપી નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો. કેશા અગ્રવાલ (મગજ અને મણકાની તકલીફનાં નિષ્ણાત) માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે. આ કેમ્પનો હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ), સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, હાયપરએક્ટીવીટી વગેરે, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએ, સાયટીકા, ગાદી ખસવી, સાંધાના વા, ઘુંટણનો ઘસારો, કમર, ગરદન, ખભા, એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો, ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ, ડિલીવરી પહેલાં, પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો વગેરે દર્દીઓ લાભ લઈ શકશે તેમજ બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ અને તમાકુ-કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર લેતા દર્દીઓ પણ કેમ્પનો લાભ લઈ શકે છે આ કેમ્પ રવિવાર તા ૧૬ ના રોજ સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ સુધી મોરબીના રામધન આશ્રમ ખાતે રાખવામા આવેલ છે અને આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીએ મો. નંબર ૮૧૬૦૨૮૨૪૫૬ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત છે અને તેના જુના રીપોર્ટસ સાથે લાવવાના રહેશે




Latest News