ટંકારા તાલુકાના લખધીરગઢ-અમરાપર ગામે વૃક્ષારોપણના કાર્યક્રમો જિલ્લા માહિતી અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયા મોરબી નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં મિશન શક્તિ યોજના અન્વયે બેઠક યોજાઈ મોરબી મનપામાં કમિશનરના અધ્યક્ષ સ્થાને બે ધારાસભ્યોની હાજરીમાં સંકલનની બેઠક યોજાઈ: પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને ઉકેલવાના કામને આપશે પ્રાધાન્ય મોરબી જલારામ ધામ ખાતે રવિવારથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ, પોલીસ તપાસ શરૂ હળવદના રાણેકપર ગામે પડી જવાથી માથામાં ઇજા થતાં એક વર્ષની બાળકીનું મોત વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ ધારાસભ્યની રજુઆત ફળી: મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ બની રહેલા ફ્લાયઓવર બ્રિજના કામમાં 60 કરોડનો વધારો કરાયો, હવે 16 ખુલ્લા ગાળા મળશે
Breaking news
Morbi Today

વાંકાનેરની શિવપાર્ક સોસાયટીના લોકોને 10 દિ’થી પાણી ન મળતા દેકારો : તાલુકા પંચાયત કચેરીમાં માટલા ફોડયા


SHARE

















વાંકાનેરની શિવપાર્ક સોસાયટીના લોકોને 10 દિ’થી પાણી ન મળતા દેકારો : તાલુકા પંચાયત કચેરીમાં માટલા ફોડયા

પગલા નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચિમકી : ભાજપ હાય હાયના સુત્રોચ્ચાર

ભરઉનાળે વાંકાનેર તાલુકાના અનેક ગામડાઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા પેદા થઇ છે ત્યારે વાંકાનેરની  શિવ પાર્ક સોસાયટીના નાગરિકો છેલ્લા દસ દિવસથી પાણી વહોણા બન્યા હોય ત્યારે સોસાયટીના રહીશો સવારથી પાણીની માંગ સાથે ભટકી રહ્યા હતા.

જેમાં પ્રથમ નાગરિકો ધારાસભ્ય જીતુભાઇ સોમાણી પાસે રજુઆત કરવા પહોંચ્યા હોય, જયાં યોગ્ય કરવા આશ્ર્વાસન આપ્યા બાદમાં તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓને રજુઆત કરવા પહોંચેલ મહિલાઓએ માટલા ફોડી, થાળી વગાડી પાણીની માંગ કરી હતી. આ સાથે જ મહિલાઓએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા અને ઉગ્ર દેખાવો કરી જયાં સુધી સોસાયટીમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવશે નહીં ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 

આ સાથે જ મહિલાઓએ પાણીની પારાયણ બાબતે પોતાની વ્યથા ઠાલવવા જણાવ્યું હતું કે ચૂંટણી સમયે અમારી પાસે મત લેવા દોડતા નેતાઓ ખાલી મોટા મોટા વચનો આપેલ, જયારે આજે અમારી સમસ્યા દુર કરવા ફુટબોલ જેમ જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા છે. 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હર ઘર નલ સે જલની વાતો કરે છે. ત્યારે અમારી 400 પરિવારો ધરાવતી સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ ઘરે નળમાં પાણી આવેલ નથી છતાં ભાજપ ઉપર વિશ્ર્વાસ મુકયો હતો અને અમોએ મતો આપી ભાજપને સતા પર બેસાડયા હતા.

આજે તેજ ભાજપના નેતાઓ અમારી વેદના સાંભળવાની તસ્દી લેવા તૈયાર નથી. અરે ઘરે ઘરે નહિ પરંતુ શેરીમાં જાહેર નળ સ્ટેન્ડ ખાતે પણ છેલ્લા દસ દિવસથી પાણી વિતરણ  કરવામાં આવ્યું નથી. હાલના કાળઝાળ ગરમી અને આકરા તાપમાં પાણી ભરવા કયાં જવું તેવા વેધક સવાલો મહિલાઓએ કર્યા હતા.






Latest News