મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વામી નારાયણ સંસ્થાએ વધારાની જગ્યા ઉપર બાંધકામ કર્યું હોવાનો ધડાકો, ગેરકાયદે બાંધકામ સંસ્થા જ તોડશે: કલેક્ટર


SHARE













મોરબીમાં સ્વામી નારાયણ સંસ્થાવધારાની જગ્યા ઉપર બાંધકામ કર્યું હોવાનો ધડાકો, ગેરકાયદે બાંધકામ સંસ્થા જ તોડશે: કલેક્ટર

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે દરમિયાન નદીના કાંઠે વધારાની જમીન ઉપર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે જેથી કરીને આગામી સમયમાં સંસ્થા પાસે જ વધારાનું બાંધકામ તોડાવવામાં આવશે તેવું કલેક્ટરને પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું છે

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે ઝુલતાપુલ નજીક છેલ્લા ઘણા સમયથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને સંસ્થા દ્વારા મચ્છુ નદીના કાંઠે જે દિવાલ બનાવવામાં આવી છે તે દિવાલ ભવિષ્યમાં જોખમી બની શકે અને તેના કારણે હોનારત સર્જાય તેવી શક્યતા સાથે કલેકટરને અરજી કરવામાં આવી હતી

જેથી કરીને કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર અને ડીએલઆરની એક ટીમ બનાવીને સ્થળ તપાસ કરી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો જે રિપોર્ટમાં ડીએલઆર દ્વારા સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે સંસ્થા દ્વારા વધારાની જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યુ છે કે, સ્થળ ઉપર બાંધકામના વર્તમાન નિયમો મુજબ બાંધકામ કરવામાં આવ્યું નથી

જેથી આ બાબતે મોરબીમાં કલેક્ટર કે.બી, ઝવેરી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સંસ્થાના પ્રતિનિધિ દ્વારા ગઈકાલે જ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમાં કહ્યું હતું કે, તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવશે તે મુજબ તેમના દ્વારા કામગીરી કરવામાં આવશે જેથી સંસ્થાનો દિવાલ કે બાંધકામને લઈને કોઈ વિરોધ કે વિનંતી નથી માટે વધારાનું જે કોઈ બાંધકામ કરવામાં આવ્યું હશે તે સંસ્થા પાસે જ તોડાવવામાં આવશે અને મોરબી શહેર તથા તાલુકાના લોકોના હિતને ધ્યાનમાં રાખીને જ આગળની કાર્યવાહી કરાશે તેવું કલેકટરે જણાવ્યું છ






Latest News