ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યોએ રક્તદાન કરી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરી


SHARE













મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યોએ રક્તદાન કરી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરી

મોરબીમાં સેવાકીય કામ સાથે જોડાયેલ યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વર્ષ દરમ્યાન 200 થી વધુ સેવાકીય  સાહિતની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની વચ્ચે આ પ્રવૃત્તિઓમાની એક રક્તદાન મુહિમ એટલે "લોહી માં છે માનવતા" આ મુહિમ અંતર્ગત 365 દિવસ અને 24 x 7 દરમિયાન કોઈના આકસ્મિક સમયે જો લોહીની જરૂરિયાત ઉભી થાય તો એ જરૂરિયાત યંગ ઇન્ડિયા ગ્રૂપ પોતાના સભ્યો તેમજ પોતાની સાથે સંકળાયેલ સેવાભાવી લોકોની મદદથી પુરી કરે છે.આ અંગે  યંગ ઇન્ડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, રક્તદાન કરીને લોકોની મહામૂલી જિંદગી બચાવવામાં આવે છે. અને આ રક્તદાનની મુહિમ છેલ્લા 10 વર્ષથી ચલાવવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં હજારો લોકોને તેમના આકસ્મિક સમયે  તેમના ગ્રુપના સભ્યો તેમજ સાથી સેવાભાવી મિત્રોની મદદથી લોહી પૂરું પાડીને નવજીવન આપવામાં આવ્યું છે. અને વર્લ્ડ રક્તદાન દિવસની વિશેષ ઉજવણી અનુસંધાને યંગ ઇન્ડિયા ગ્રૂપના 18 સભ્યોએ રક્તદાન કર્યું હતું અને તેઓની આ "લોહી માં છે માનવતા" મુહિમમાં જોડાવવા માટે મોબાઈલ નંબર 8000827577 અને 8141322202 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News