મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નિના ચકચારી ખુનના કેશમા આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં પત્નિના ચકચારી ખુનના કેશમા આરોપીનો નિર્દોષ છુટકારો

મુળ મધ્યપ્રદેશનો સાહીલખાન ઉર્ફે સોનુ રાસીદખાન રહે. ભોપાલ વાળો મોરબીના એક કારખાનામાં પોતાની પત્નિ રાધાબેનની સાથે રહીને મજુરી કામ કરતો હતો.વર્ષ ૨૦૧૯ ના તા.૮-૮-૨૦૧૯ના રોજ આ સોનુએ તેની પત્નિ રાધાબેનનુ ગળુ દબાવીને હત્યા નીપજાવી તેવો કેશ પોલીસે નોંધ્યો હતો.તથા ઈ.પી.કો.ની કલમ ૩૦ર મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુના નંબર ૧૨૪/૧૯ મુજબ ગુનો દાખલ થયેલો હતો.

આ કેશ મોરબીના મહે. પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.જી.દેવધરા સાહેબની કોટમાં સેશન્સ કેશ નંબર ૯૫/૨૦૧૯ થી ચાલી જતા જજસાહેબે બચાવપક્ષના વકીલ પુષ્પાબેનની ધારદાર દલીલોને લક્ષમાં લઈને આરોપી સાહીલખાન ઉર્ફે સોનુભાઇને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.આ કામના આરોપી સોનુ ઉર્ફે સાહીલખાન પઢાણ તરફે બચાવ પક્ષના વકીલ મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતી પુષ્પાબેન કૌશીકભાઇ ભટ્ટ રોકાયેલ હતા








Latest News