માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નિના ચકચારી ખુનના કેશમા આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE

















મોરબીમાં પત્નિના ચકચારી ખુનના કેશમા આરોપીનો નિર્દોષ છુટકારો

મુળ મધ્યપ્રદેશનો સાહીલખાન ઉર્ફે સોનુ રાસીદખાન રહે. ભોપાલ વાળો મોરબીના એક કારખાનામાં પોતાની પત્નિ રાધાબેનની સાથે રહીને મજુરી કામ કરતો હતો.વર્ષ ૨૦૧૯ ના તા.૮-૮-૨૦૧૯ના રોજ આ સોનુએ તેની પત્નિ રાધાબેનનુ ગળુ દબાવીને હત્યા નીપજાવી તેવો કેશ પોલીસે નોંધ્યો હતો.તથા ઈ.પી.કો.ની કલમ ૩૦ર મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુના નંબર ૧૨૪/૧૯ મુજબ ગુનો દાખલ થયેલો હતો.

આ કેશ મોરબીના મહે. પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.જી.દેવધરા સાહેબની કોટમાં સેશન્સ કેશ નંબર ૯૫/૨૦૧૯ થી ચાલી જતા જજસાહેબે બચાવપક્ષના વકીલ પુષ્પાબેનની ધારદાર દલીલોને લક્ષમાં લઈને આરોપી સાહીલખાન ઉર્ફે સોનુભાઇને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.આ કામના આરોપી સોનુ ઉર્ફે સાહીલખાન પઢાણ તરફે બચાવ પક્ષના વકીલ મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતી પુષ્પાબેન કૌશીકભાઇ ભટ્ટ રોકાયેલ હતા




Latest News