મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી  : બી.પી.એલ કાર્ડ ન ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓ પણ હવે સંત સુરદાસ પેન્શન યોજના સહિત યોજનાનો લાભ મેળવી શકશે


SHARE













મોરબી  : બી.પી.એલ કાર્ડ ન ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓ પણ હવે સંત સુરદાસ પેન્શન યોજના સહિત યોજનાનો લાભ મેળવી શકશે


પાત્રતા ધરાવતા દિવ્યાંગો રાજ્ય સરકારની સંતસુરદાસ પેન્શન યોજના, GMDPS (બૌધિક અસમર્થતા) પેન્શન યોજનાનો લાભ મેળવી શકશેરાજય સરકારની સંતસુરદાસ યોજના હેઠળ મોરબી જિલ્લાના ૮૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમજ બી.પી.એલ. લાભાર્થી કાર્ડ ધરાવતા હોય અથવા ન ધરાવતા હોય તેવા તમામ દિવ્યાંગોને રાજ્ય સરકારની સંતસુરદાસ પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે. ઉપરાંત GMDPS (બૌદ્ધિક અસમર્થતા) ધરાવતા દિવ્યાંગો માટે ૫૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા દિવ્યાંગોને GMDPS (બૌદ્ધિક અસમર્થતા) પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર છે.

આ યોજના હેઠળ લાભ મેળવવા માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે. જે માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મોરબી, રૂમ નંબર - ૫, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી, ફોન નંબર-૦૨૮૨૨ ૨૪૨૫૩૩ નો સંપર્ક કરવા અનુરોધ છે.








Latest News