ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગલા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે પેવર બ્લોકના કામ બાબતે સરપંચને મહિલા સહિત ચાર વ્યક્તિઓએ માર માર્યો


SHARE











હળવદના રણમલપુર ગામે પેવર બ્લોકના કામ બાબતે સરપંચને મહિલા સહિત ચાર વ્યક્તિઓએ માર માર્યો

હળવદ તાલુકાના રણમલપુર ગામે પેવર બ્લોકની કામગીરી ચાલુ હતી ત્યારે કામ કરવા બાબતે ગ્રામ પંચાયતના સરપંચ સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને તેઓને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા આટલું નહીં તેને લાકડી વડે અને છુટા પથ્થરનો ઘા કરીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા સરપંચે દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા અને ખેતી કામ કરતા ગામના સરપંચ પુનાભાઈ દેવાભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (61) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભૌતિકભાઈ રમેશભાઈ પટેલ, રમેશભાઈ મગનભાઈ પટેલ, સુરેશભાઈ દેવકરણભાઈ પટેલ અને શારદાબેન રમેશભાઈ પટેલ રહે. બધા રણમલપુર વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે રણમલપુર ગામે નારાયણ ગોપાલ વાળી શેરીમાં પેપર બ્લોકની કામગીરી ચાલુ હતી તે કામ કરવા બાબતે ફરિયાદી સાથે આરોપીઓએ બોલાચાલી કરી હતી અને ફરિયાદી અનુ. જાતિના હોવાનું જાણતા હોવા છતાં તેને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા અને ગાળો બોલીને શારદાબેને લાકડી વડે તેઓને માર માર્યો હતો તેમજ ભૌતિકભાઇએ છુટા પથ્થરનો ઘા કરીને માર માર્યો હતો. આટલું જ નહીં રમેશભાઈ તથા સુરેશભાઈ પણ તેને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા સરપંચે સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News