મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટોલનાકા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ હસનપર ગામના વૃદ્ધનું સારવારમાં મોત


SHARE













વાંકાનેર નજીક ટોલનાકા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ હસનપર ગામના વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેરના હસનપર ગામે રહેતા વૃદ્ધ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા બાજુ થઈને પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે આઠેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તેમાં વૃદ્ધને ઈજાઓ થયેલ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા સત્તાભાઈ પાંચાભાઇ મુંધવા (૭૦) નામના વૃદ્ધ વાંકાનેરના વઘાસિયા ટોલનાકા બાજુ થઈને પોતાના ગામ હસનપર તરફ બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે વઘાસીયા ટોલનાકા પહેલાં અડફેટે લીધું હતું જેથી કરીને સત્તાભાઈ મુંધવાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે પ્રથમ સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બેભાન હાલતમાં તેઓને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતુ જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મૃતક વૃદ્ધના દીકરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે વાંકાનેરમાં પૂલ દરવાજા પાસે ભરાતી માવા બજારમાં દરરોજ તેઓના પિતા જતા હોય છે તેવી જ રીતે આજે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત પોતાના ગામ હસનપર આવી રહ્યા હતા અને ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું છે આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મૂળ છોટા ઉદેપુર જિલ્લાના ગુંગવાડા ગામે સેલફળિયાના રહેવાસી સુનિલભાઈ નાયક (૨૪) નામના યુવાનને એલિટોન એલએલપી નીચી માંડલથી કાલિકા નગરના રસ્તે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News