મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે બહુચર માતાજીના મંદિરે ઉમા કળશ પૂજન-મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના નાની વાવડી ગામે બહુચર માતાજીના મંદિરે ઉમા કળશ પૂજન-મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા ઉમિયા મહિલા સંગઠન સમિતિ તેમજ મોરબી ઉમિયા સંગઠન સમિતિ તથા સમસ્ત નાની વાવડી ગામના પાટીદાર પરિવાર દ્વારા કળશ પૂજન અને મહાઆરતીનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ નાની વાવડી ગામે આવેલ બહુચર માતાજીના મંદિરે રાખવામા આવ્યો હતો આ કાર્યક્રમમાં જે પરિવારજનોના ઘરે ઉમા કળશનું સ્થાપન કર્યું હતું તે કળશ સાથે લઈને આવ્યા હતા અને પૂજન કર્યું હતું. તેની સાથે આ તકે અન્ય પરિવારવજનોને કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા સંગઠન સૌરાષ્ટ્રના અધ્યક્ષ સરોજબેન મારડિયા, સંગઠન સમિતિ સિદસરના કે.એમ. ભુવા, મોરબી જિલ્લા પ્રમુખ ડો. પ્રો. નયનાબેન ભાલોડીયા, ઉપ્રમુખ કંચનબેન કાનાણી, મંત્રી રીનાબેન ભાલોડીયા અને મોરબી તાલુકા પ્રમુખ હંસાબેન રંગપરિયા ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમને સફળ બનાવવા જયંતીભાઈ પડસુંબીયા, ગણેશભાઈ પડસુંબીયા, પ્રવીણભાઈ રૂપાલા, સંગીતાબેન પડસુંબીયા, રસીલાબેન પડસુંબીયા અને દયાબેન પડસુંબીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News