મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્લિમ બિરદારોએ નમાજ અદા કરીને એકમેકને પાઠવી ઈદની શુભકામના: સબજેલમાં પણ ઈદની ઉજવણી કરાઇ


SHARE















મોરબીમાં મુસ્લિમ બિરદારોએ નમાજ અદા કરીને એકમેકને પાઠવી ઈદની શુભકામના: સબજેલમાં પણ ઈદની ઉજવણી કરાઇ

મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મસ્જીદમાં જઈને મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી અને મોરબીની જુમ્મા મસ્જિદથી મોરબી સુન્ની મુસ્લિમ સમાજના શહેર ખતિબ રસીદમીયા બાપુની સર પરસ્તીમાં શાનદાર જુલુસ શહેરના મુખ્ય માર્ગ ગ્રીનચોક, નેહેરૂગેઇટ, સરદાર રોડ થઈ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી ઇદગાહે પહોંચ્યું હતું. અને ત્યાં શહેર ખતિબ રસીદમીયા બાપુએ ઈદ ઉલ અદહાની નમાઝ અદા કરાવી હતી. ત્યાર બાદ રસીદમીયા બાપુએ ઇદના મુબારક મોકા ઉપર ભારત દેશમાં શાંતિ અને ભાઈચારો કાયમી જળવાઈ રહે તે માટે અલ્લાહ પાકને દુઆએ કરી હતી અને સહુકોઈએ એકમેકને ઈદની શુભકામના પાઠવી હતી. ત્યારબાદ ઈદગાહેથી જુલુસ ખાટકીવાસ પાસે આવેલ હૈદરી મસ્જિદે પૂરું કરવામાં આવ્યું હતું. અને આજના દિવસે કોઈ અનિછીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે તો મોરબી સબજેલમાં દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આજે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ઈદ નિમિત્તે મૌલાના ઈશાકભાઈ દ્વારા જેલના બંદીવાન ભાઈઓએ બકરી ઈદની નામાજ પઢાવવામાં આવી હતી અને જેલમાં રહેલા બંદીવાન ભાઈઓએ ઈદની નમાજ અદા કરી હતી ત્યારે મોરબી સબજેલના ઈન્ચાર્જ અધિક્ષક ડી.એમ. ગોહેલ તથા ઈન્ચાર્જ જેલર એ.આર. હાલપરા સહિતનો જેલનો સ્ટાફ ત્યાં હાજર રહ્યો હતો
 






Latest News