મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે ૫૦ હજારની માંગણી કરીને હોટલ સંચાલકો દ્વારા પુર્વ કર્મચારી યુવાન ઉપર હુમલો : જાનથી મારી નાંખવાની ધમકી


SHARE







મોરબીના શનાળા ગામે ૫૦ હજારની માંગણી કરીને હોટલ સંચાલકો દ્વારા પુર્વ કર્મચારી યુવાન ઉપર હુમલો : જાનથી મારી નાંખવાની ધમકી

મોરબી નજીકના શનાળા ગામે રહેતા યુવાન ઉપર બે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.તે યુવાનને લાકડાના ધોકા વડે માર મારવામાં આવતા ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો.બાદમાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તે અગાઉ જ્યાં કામ કરતો હતો તે હોટલના બે સંચાલકો દ્વારા રૂા.૫૦,૦૦૦ ની માંગણી કરીને તેની સાથે બોલાચાલી ઝઘડો કરાયો હતો અને બાદમાં લાકડાના ધોકા વડે તેને માર મારવામાં આવ્યો હતો.ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરેલ છે.

હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી પ્રમાણે કપિલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (ઉ.વ.૩૮) ધંધો પાન માવાની દુકાન રહે.શનાળા ગામ શક્તિ માતાના મંદિર પાછળ તા.મોરબી એ સામાવાળા (હુમલો કરનાર) ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા અને દિગ્વીજયસિંહ છત્રસિંહ જાડેજા રહે.બંને હાલ શનાળા તા.જી.મોરબી મૂળ રહે.ભીમકટા તા.જોડીયા જી.જામનગર સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે તે તેના ઘરે હતો ત્યારે તા.૧૬ નારાતના દશેક વાગ્યે ફોન કરીને તેને ઘનશ્યામસિંહે બોલાવ્યો હતો ત્યારે રૂપીયા પચાસ હજાર આપવાનું કહીને બોલાચાલી કર્યા બાદ તેમના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે કપિલસિંહને શરીરે માર માર્યો હતો તે દરમિયાનમાં દિગ્વીજયસિંહ ત્યાં આવી જતા તેઓએ ઘનશ્યામસિંહનું ઉપરાણું લઇને તેને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારી રૂપીયા પચાસ હજાર નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને શરીરે મૂઢ ઇજા કરી હતી. હાલ ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસ મથકના પ્રભાતભાઈ ચાવડા આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.મારામારીમાં ભોગ બનનાર યુવાન અગાઉ સામેવાળાઓની હોટલ બાપાસીતારામમાં પાંચેક વર્ષથી કામ કરતો હતો અને ગત સાતમ-આઠમ આસપાસ તેણે નોકરી મૂકી દીધી હતી. બાદમાં રૂા.૫૦ હજાર આપવા પડશે તેમ કહીને તેને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો.

મારામારીમાં ઘવાયેલ યુવાન સારવારમાં

માળિયા મીંયાણા તાલુકાના દેરાળા ગામે રહેતા નિમિશ જાદવજીભાઈ ઉઘરેજા નામના ૩૨ વર્ષના યુવાનને કૃષ્ણનગર ગામે નર્મદાની કેનાલ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં શહેરની ખાનગી હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

માવતરમાં ફિનાઈલ પી જતા સારવારમાં

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં માવતરને ત્યાં રહેતા સાવરીબેન અમિતભાઈ વાઘેલા (ઉમર ૨૨) લગ્નગાળો બે વર્ષ તેઓના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી ગયા હતા.જેથી તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલમાંથી જાણ કરાયેલી હોય સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા આ બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાયેલ છે.






Latest News