મોરબીમાં શનાળા રોડ હાઉસિંગની જગ્યા બિલ્ડરને ન આપી સરકાર જ મકાન બનાવે તેવી માંગ
SHARE
મોરબીમાં શનાળા રોડ હાઉસિંગની જગ્યા બિલ્ડરને ન આપી સરકાર જ મકાન બનાવે તેવી માંગ
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડના જર્જરિત થયેલ મકાનોને ડીસ્મેંન્ટલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આ જગ્યા કોઈ બિલ્ડરને ન આપતા આ મકાનો સરકાર દ્વારા જ બનાવવામાં આવે તેવી માંગણી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રી સમક્ષ કરી છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડના મકાનો આવેલ છે. આ મકાનો હાલમાં ખુબ જ જર્જરિત હાલતમાં છે. તાજેતરમાં એક મકાનની છત પાડવાનો બનાવ બનેલ હતો જેથી કોઈ ઘટના બને તે પહેલા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. આ માટે સોથી પહેલા હાઉસિંગ બોર્ડમાં હાલમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરીને રહેવા માટેની સુવિધા આપવામાં આવે અને બાદમાં નવા મકાન બને તેનું આયોજન કરવાની જરૂર છે. આ જગ્યા કોઈ બિલ્ડરને ન આપતા આ મકાનો સરકાર દ્વારા જ બનાવવામાં આવે તેવી માંગણી કરી છે અને જો આવું કરવામાં નહી આવે તો ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે