મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મહારાજ ફિલ્મને રીલીઝ ન કરવામાં આવે તેવી મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય-હિન્દુ સંગઠનોની માંગ


SHARE









મહારાજ ફિલ્મને રીલીઝ ન કરવામાં આવે તેવી મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય-હિન્દુ સંગઠનોની માંગ

મહારાજ ફિલ્મ સામે ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોએ પણ આ ફિલ્મનો વિરોધ કરેલ છે અને આજે મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપીને યશરાજ ફિલ્મના ડાયરેક્ટર અને આ ફિલ્મના સંબંધિત તમામ લોકો સામે ગુનો નોંધવા રજૂઆત કરી છે તેમજ આ ફિલ્મને રીલીઝ ન કરવામાં આવે તેવી માંગ કરી છે

જાણીતા ફિલ્મ અભિનેતા આમિરખાનના દીકરા જુનેદખાનની પહેલી ફિલ્મ મહારાજ 14 જૂને નેટફ્લિકસ પર રિલીઝ થવાની હતી જો કે, ફિલ્મના પોસ્ટર અને સ્ટોરીને લઈને વિવાદ થયેલ છે અને મામલો હાઇકોર્ટ સુધી પહોચી ગયેલ છે જેથી કરીને આ ફિલ્મને રિલીઝ કરવા પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. તેવામાં મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તો તેમજ જુદાજુદા હિન્દુ સંગઠનના લોકોએ કલેક્ટરને આજે આવેદનપત્ર પાઠવ્યું છે અને મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કર્યો છે

વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલ હિતેન્દ્રભાઈ આડેસરાએ જણાવ્યુ હતુ કે, સનાતન ધર્મની લાગણી દુભાઈ તેવી પુસ્તક લખીને પ્રહાર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોચે તેવી ફિલ્મ બનાવવામાં આવી છે. જેથી મહારાજ પુસ્તક લખનાર સૌરભ શાહ, પુસ્તક પ્રકાશિત કરનાર  પ્રકાશન હાઉસ, તેમજ યશરાજ ફિલ્મ અને આમિરખાન તેમજ જુનેદખાન સામે ફરિયાદ કરવાની માંગ કરી છે

વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, આ પુસ્તકમાં હિન્દુ સંતો, ધર્મગુરુ, હિન્દુ ધર્મની બહેનો, સ્ત્રીઓ અને સૌથી વધારે હિન્દુ ધર્મના પરમ આરાધ્યાય એવા ભગવાન શ્રીકૃષ્ણ ઉપર પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ ફિલ્મને રીલીઝ ન કરવામાં આવે તેવી માંગ મહિલાઓ સહિતના લોકો દ્વારા કરવામાં આવી છે અને ભવિષ્યમાં બીજી વખત આવી ઘટના ન બને તે માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે

તો વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલ ક્રિશ્નાબેન મારવાણિયાએ જણાવ્યુ હતું કે, હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને વારંવાર હિન્દુ સમાજની લાગણી દુભાઈ તેવું હિન કૃત્ય કરવામાં આવે છે ત્યારે આ ઘટનામાં પુસ્તક લખનાર અને તેના ઉપરથી ફિલ્મ બનાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં આવી રીતે હિન્દુ ધર્મ ઉપર કોઈ ફિલ્મો બનાવીને હિન્દુઓની લાગણી દુભાવશે નહીં. જેથી આ ઘટનામાં આકરા પગલાં લેવાની મોરબીના વૈષ્ણવ સંપ્રદાય લોકો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે 






Latest News