મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા માટેલ રોડે કારખાના પાસે ખુલ્લી જગ્યામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE









વાંકાનેરના ઢુવા માટેલ રોડે કારખાના પાસે ખુલ્લી જગ્યામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર કારખાના પાસે ખુલ્લી જગ્યામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.જેથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા હતા અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેના વીસેરા લઈને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ સેન્ચ્યુરો સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા દિપકસિંહ ઓમપ્રકાશ ઠાકુર (34) નામના યુવાનનો ઢુવા-માટેલ રોડ ઉપર રામોજી સિરામિક કારખાના પાસેની ખુલ્લી જગ્યામાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર લઈને આવ્યા હતા અને આ બનાવની રાજુભાઈ દેવસિંગભાઈ આંજના જાતે પટેલ (32) રહે.હાલ નવા ઢુવા તાલુકો વાંકાનેર મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા જે.જી.ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં વીસેરા લઈને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

રવાપર ગામ નજીક મારામારીમાં ચારને ઈજા

મોરબીના રવાપર ગામ પાસે આવેલ કેનાલ રોડ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં અર્જુનભાઇ કાશીરામ ઠાકુર નેપાળી (૪૫), પ્રકાશ માનબહાદુર (૨૮), પદમાબેન અર્જુનભાઈ ઠાકુર (૩૫) અને રાજકુમાર અર્જુનભાઈ ઠાકુર (૧૯) રહે. બધા રવાપર કેનાલ રોડ પાસે વાળાઓને રહેણાંક વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઇજા પામેલ હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં ચારેયની સારવાર કરવામાં આવી હતી અને બાદમાં હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરવામાં આવતા સ્ટાફના હરેશભાઈ ચાવડાએ બનાવ અંગે નોંધ કરીને આગળની પ્રાથમિક તપાસ કરી હતી.
 
વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે પર આવેલ જૂની કુબેર ટોકીઝના પાછળના ભાગે ધાર વિસ્તારમાં રહેતા પરીવારના રોહિત ભરતભાઈ વઢીયારા નામના ૧૬ વર્ષના સગીરને ઇજાગ્રસ્ત હાલતમાં શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામા આવી હતી.જેથી સ્ટાફના જગદીશભાઈ ડાંગરે આ બાબતે તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે ગત તા.૧૮-૬ ના સવારના નવેક વાગ્યાના અરસામાં ઇજાગ્રસ્ત રોહિતભાઈ વઢીયારાનો મોટો ભાઈ રીક્ષાને વણાંકમાં ટર્ન લેતો હતો ત્યારે ભૂલથી લોખંડની એંગલ રોહીતને જમણા પડખાના ભાગે લાગી જતા ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.





Latest News