મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

તસ્કરોના ધામા: મોરબીની બે સોસાયટીમાં ત્રણ મકાનના નકુચા તોડીને ચોરી, અંદાજે 85 હજારનો મુદામાલ લઈ ગયા


SHARE







તસ્કરોના ધામા: મોરબીની બે સોસાયટીમાં ત્રણ મકાનના નકુચા તોડીને ચોરી, અંદાજે 85 હજારનો મુદામાલ લઈ ગયા

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં તસ્કરોએ ધામા નાખ્યા હોય તે રીતે જુદી જુદી બે સોસાયટીમાં ત્રણ જેટલા મકાનમાં દરવાજાના નકુચા તોડીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરેલ છે અને ઘરમાંથી રોકડા રૂપિયા, ઘડિયાળ સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરવામાં આવેલ છે જેથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રામકૃષ્ણનગરમાં વી-નંબરના બ્લોકમાં રહેતા પ્રકાશભાઈ નારણભાઈ લહેરુના રહેણાંક મકાનને તસ્કરોએ રાત્રિના બે થી ચાર વાગ્યાના અરસામાં નિશાન બનાવ્યું હતું અને તેના ઘરના દરવાજાના તાળા ખોલ્યા કે તોડિયા વગર નકુચાને કાનસથી તોડી નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઘરની અંદર પ્રવેશ કરીને ઘરમાં માલ સામાન વેરવિખેર કરી નાખીને રોકડા રૂપિયા 70,000 તથા ચાર ગોલ્ડન ઘડિયાળ આમ કુલ મળીને 80,000 ના મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે

વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે પ્રકાશભાઈ લહેરુ કેબ ડ્રાઇવિંગનું કામકાજ કરે છે અને તેના પત્ની દવા લેવા માટે થઈને મુંબઈ ગયા હતા તેઓ પોતાના ઘરે ઉપલા માળે સૂતા હતા અને તસ્કરોએ નીચે તેઓના ઘરના દરવાજાના નકુચાને તોડીને ચોરીની ઘટનાને અંજાર આપેલ છે

પ્રકાશભાઈના ઘરની બાજુમાં જ તેમનું બીજું મકાન આવેલ છે ત્યાં હાલમાં ભાડુઆત રહે છે તે ઘરને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ત્યાં પણ ઘરના દરવાજાના નકુચા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો જોકે, ઘરમાંથી કોઈ મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ નથી આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભોગ બનેલા ઘરધણીની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે અજાણ્યા બે શખ્સો રાત્રીના બે થી ચાર વાગ્યાના અરસામાં તે વિસ્તારમાં દેખાયા હતા તેને જ આ બંને ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોય તેવી શક્યતા સેવાઈ રહી છે

આવી જ રીતે મોરબીના અરૂણોદયનગર વિસ્તારમાં બ્લોક નં.102 માં રહેતા બળવંતભાઈ અશોકભાઈ રાઠોડ તેઓના પરિવારજન સાથે ધાબા ઉપર બધા સુતા હતા ત્યારે તેના રહેણાંક મકાનને રાત્રિ દરમિયાન તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેઓના ઘરના દરવાજાનું તાળું ખોલવા કે તોડવાના બદલે નકુચો જ કાનસથી તોડી નાખ્યો હતો અને દરવાજો ખોલીને તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતા ત્યારબાદ કબાટમાં રાખેલ માલસામાનને વેર વિખેર કરી નાખ્યો હતો અને કબાટમાં રહેલ પાકીટ જેમાં 3000 રૂપિયા હતા તે તથા બે સ્માર્ટ વોચની ચોરી કરવામાં આવેલ છે આ બનાવની પણ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News